________________
શંકા-સમાધાન
૩૩૯ સાધ્વીજી ભગવંત પાસે રોજ ન જવું જોઇએ. કારણ કે શ્રાવકોએ સાધ્વીજી ભગવંતની પાસે રોજ જવું જોઈએ એવું વિધાન શાસ્ત્રમાં નથી.
શંકા- ૭૬૮. સાધ્વીજીને મન:પર્યવજ્ઞાન થાય ?
સમાધાન– અપ્રમતગુણસ્થાનકે વર્તતી મહાસતી સાધ્વીજીને મનઃપર્યવજ્ઞાન થાય. શ્રી પ્રવચનસારોદ્ધારના ૨૭૦મા દ્વારમાં કહેલ છે કે–
अरिहंत १ चक्कि २ केशव ३ बल ४ संभिन्ने ५ य चारणे ६ पुव्वा ७ गणहर ८ पुलाय ९ आहारग १० च नहु भवियमहिलाणं
ભાવાર્થ – ૧ આમષષધિ, ૨ વિમુડૌષધિ, ૩ ખેલૌષધિ, ૪ જલૌષધિ, ૫ સર્વોષધિ, ૬ અંભિન્નશ્રોતલબ્ધિ, ૭ અવધિજ્ઞાનલબ્ધિ, ૮ ઋજુમતિલબ્ધિ, ૯ વિપુલમતિલબ્ધિ, ૧૦ ચારણલબ્ધિ, ૧૧ આશીવિષલબ્ધિ, ૧૨ કેવલલબ્ધિ, ૧૩ ગણધરલબ્ધિ, ૧૪ પૂર્વધરલબ્ધિ, ૧૫ અરિહંતલબ્ધિ, ૧૬ ચક્રવર્તીલબ્ધિ, ૧૭ બલદેવલબ્ધિ, ૧૮ વાસુદેવલબ્ધિ, ૧૯ સીરમધુસર્પિઆશ્રવલબ્ધિ, ૨૦ કોષ્ટકબુદ્ધિલબ્ધિ, ૨૧ પદાનુસારિણીલબ્ધિ, ૨૨ બીજબુદ્ધિલબ્ધિ, ૨૩ તેજોલેશ્યાલબ્ધિ, ૨૪ આહારકલબ્ધિ, ૨૫ શીતલેશ્યાલબ્ધિ, ૨૬ વૈક્રિય શરીરલબ્ધિ, ૨૭ અક્ષણ મહાનલબ્ધિ અને ૨૮ પુલાકલબ્ધિઃ આ અઠાવીસ લબ્ધિઓ છે. તેમાંથી ૧ અરિહંત, ર ચક્રવર્તી, ૩ વાસુદેવ, ૪ બલદેવ, ૫ સંભિન્નશ્રોત, ૬ જંઘાચારણ વિદ્યાચારણ, ૭ પૂર્વધર, ૮ ગણધર૯ પુલાક અને ૧૦ આહારક શરીર - આ દશ લબ્ધિઓ ભવ્ય સ્ત્રીઓને ન હોય. બાકીની અઢાર લબ્ધિઓ સ્ત્રીઓને હોય. એ અઢારમાં ઋજુમતિ તથા વિપુલમતિ બંને મન:પર્યવજ્ઞાન લબ્ધિઓ છે. તેથી ઋજુમતિ તથા વિપુલમતિ મન:પર્યવજ્ઞાન, શ્રીમતી સાધ્વીઓને હોય. આ પાઠમાં સ્ત્રીવેદમાં મન:પર્યવજ્ઞાન સ્પષ્ટપણે કહેલ છે. સ્ત્રીવેદ કહેવાથી શ્રીમતી સાધ્વીઓ જ સમજવી.
શ્રીષડશીતિ કર્મગ્રંથમાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે પણ કહેલ છે - तस जोय वेय सुक्काहार नरपणिदि सन्नि भवि सव्वे ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org