SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શંકા-સમાધાન ગચ્છના સાધુ-સાધ્વીઓને નટોની મંડળી સમાન તું જાણ. (સંબોધ પ્રકરણ કુગુરુ અધિકાર ગા.૭૨) શંકા- ૭૬૪. પૂજ્ય સાધ્વીજી ભગવંતોને પુરુષો સમક્ષ વ્યાખ્યાન ક૨વાનો નિષેધ છે. તો કલ્યાણ વગેરે સામાયિકોમાં હમણાં હમણાં પૂ. સાધ્વીજી ભગવંતોના લેખો પ્રગટ થાય છે, તો લખનાર સાધ્વીજી મ.ને અને વાંચનાર પુરુષને દોષ લાગે કે નહિ ? સમાધાન– સાધ્વીજી મ.ને પુરુષો સમક્ષ વ્યાખ્યાન વાંચવામાં જે દોષોનો સંભવ છે તે દોષોનો લેખો લખવામાં સંભવ નથી. માટે સાધ્વીજી મ. લેખો લખે અને પુરુષો વાંચે તો તેમાં કોઇ દોષ નથી. આપણે ભગવાનની કોઇ પણ આજ્ઞા અંગે માત્ર શબ્દાર્થ ન પકડવો જોઇએ, કિન્તુ ઐદંપર્યાર્થ વિચારવો જોઇએ. શંકા- ૭૬૫. સાધ્વીજી ભગવંતનું વ્યાખ્યાન ફક્ત સ્ત્રીઓ જ સાંભળી શકે, પુરુષો નહિ, એવું સ્પષ્ટ વિધાન આગમના કોઇ ગ્રંથમાં અથવા કોઇ શ્રુતજ્ઞાનીના ગ્રંથમાં જોવા મળે છે ? સાધુ ભગવંતના વ્યાખ્યાનો ફક્ત પુરુષો જ સાંભળી શકે, સ્ત્રીઓ નહિ, આવો નિયમ કેમ નહિ ? સમાધાન– પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજ રચિત ‘સંબોધ પ્રકરણ' નામના ગ્રંથમાં ગુરુઅધિકા૨માં ૭૨મી ગાથામાં જણાવ્યું છે કે ‘જે ગચ્છમાં સાધુઓ એકલી સ્ત્રીઓ આગળ વ્યાખ્યાન વાંચે છે અને સાધ્વીજીઓ પુરુષો આગળ વ્યાખ્યાન વાંચે છે તે ગચ્છમાં સાધુઓ અને સાધ્વીજીઓને મર્યાદા વિનાના નટનટડીઓના ટોળા સમાન જાણ.' આ પાઠના આધારે સાધ્વીજીઓને પુરુષોની સમક્ષ વ્યાખ્યાન વાંચવાનો સ્પષ્ટ નિષેધ થઇ જાય છે. હવે એ પ્રશ્ન થાય કે તો પછી સાધુઓનું વ્યાખ્યાન ફક્ત પુરુષો સાંભળી શકે, સ્ત્રીઓ નહિ, એવો નિયમ કેમ નહિ ? આનું સમાધાન આ પ્રમાણે છે– સાધુ-સાધ્વીજીઓને પાંચ મહાવ્રતોનું પાલન કરવાનું હોય છે તેમાં બ્રહ્મચર્ય વ્રતના શુદ્ધ પાલન માટે નવવાડોનું(=નવ બ્રહ્મચર્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy