________________
૩૩૪
શંકા-સમાધાન
શંકા-૭૫૮. સાધુ ગર્ભવતી સ્ત્રીના હાથે આહાર-પાણી વહોરી શકે? સમાધાન- આઠ માસનો ગર્ભ થાય ત્યાં સુધી ગર્ભવતી સ્ત્રીના હાથથી આહાર-પાણી વહોરવા વિકલ્પી સાધુને કહ્યું, નવમા માસે તે ગર્ભવતી સ્ત્રી બેઠેલી હોય અને બેઠેલી જ વહોરાવે તેમજ ઊભેલી હોય અને ઊભી ઊભી જ વહોરાવે, તો કલ્પ. જિનકલ્પી સાધુઓ તો સ્ત્રી જયારથી ગર્ભવતી બને ત્યારથી તેના હાથે આહારપાણી ન વહોરે.
શંકા- ૭૫૯. સાધર્મિક વાત્સલ્યના રસોડામાં સાધુથી વહોરવા જવાય કે નહિ ?
સમાધાન- શાસ્ત્રમાં સંખડીમાં(=૩૦થી અધિક માણસોના જમણમાં) સાધુને મુખ્યવૃત્તિથી વહોરવા જવાનો નિષેધ કર્યો છે પણ સાધર્મિક વાત્સલ્યના રસોડામાં વહોરવા જવાનો બાધ જણાતો નથી. જો કે સેનપ્રશ્ન આદિ ગ્રંથમાં સાધર્મિક વાત્સલ્યના જમણમાં સાધુઓને વહોરવા જવાનો નિષેધ કર્યો છે. આ નિષેધ સાધર્મિક વાત્સલ્ય સિવાય બીજા ઘરોમાંથી આહાર મળી જતો હોય તો સાધર્મિક વાત્સલ્યના રસોડામાં વહોરવા ન જાય એ દૃષ્ટિએ જણાય છે. એટલે આજે પણ સાધર્મિક વાત્સલ્યમાં જમવા જનાર ન હોય તેવા ઘરોમાંથી નિર્દોષ આહાર મળી જતો હોય, તો સાધર્મિક વાત્સલ્યના જમણમાં વહોરવા ન જવું જોઇએ. કારણ કે તેમાં રસનેન્દ્રિયનું પોષણ વગેરે દોષો થવાની ઘણી સંભાવના રહે છે. તે જ રીતે ઉપધાનની નીવિના રસોડામાં પણ “બહારથી નિર્દોષ આહાર મળતો હોય તો” ન જવું એ હિતાવહ જણાય છે.
શંકા- ૭૬૦. સાધ્વીજી મહારાજના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગમાં પુરુષો જોડાઈ શકે ? સાધ્વીજી મહારાજ પુરુષોને નિષેધ ન કરે તો દોષને ભાગીદાર બને કે નહિ ?
સમાધાન- સાધ્વીજી મહારાજના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગમાં પુરુષો જોડાઈ ન શકે. સાધ્વીજી મહારાજ પુરુષોને નિષેધ ન કરે તો દોષના ભાગીદાર બને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org