________________
શંકા-સમાધાન
૩૩૩
અપવાદ સેવવો પડે તો દોષો ઓછા કેમ લાગે તેવી વૃત્તિ હોવી જોઇએ. આવી વૃત્તિ ન હોય તો આરાધક બની શકાય નહિ.
અશક્ત આદિ સાધુ માટે ગૃહસ્થ ઘરેથી વહોરી લાવે અને ઉપાશ્રયમાં લાવીને વહોરાવે એ બે વિકલ્પમાં સામાન્યથી તો બીજો વિકલ્પ(=ઉપાશ્રયમાં લાવીને વહોરાવે એ વિકલ્પ) યોગ્ય છે. આમ છતાં પૂર્વે કહ્યું તેમ આમાં એકાંતે કોઇ નિયમ ન બાંધી શકાય.
શંકા- ૭૫૬. સાધુ નાના ગામમાં સ્થિરવાસ કરે અને શ્રાવકો તેમને ઉપાશ્રયમાં આવીને આહાર-પાણી આપી જાય તે યોગ્ય છે ? સમાધાન– જો સાધુ વિહાર કરવા સમર્થ હોવા છતાં સ્થિરવાસ કરે તો યોગ્ય નથી તથા ઘરોમાં ગોચરી વહોરવા જવાની શક્તિ હોવા છતાં શ્રાવકો ઉપાશ્રયમાં આવીને આહાર-પાણી આપી જાય તે યોગ્ય નથી.
શંકા— ૭૫૭. ભગવતીસૂત્રના જોગમાં ૭૫ કાલગ્રહણ પૂર્ણ થયા પછી લીલોતરી વાપરી શકાય છે. તેમજ ફળ વગેરેનો પણ ઉપયોગ કરી શકાય છે. તો સામાન્ય રીતે સાધુઓને ફળ વગેરેનો ત્યાગ હોવો જોઇએ. તેને આવા મહાન જોગમાં ફળ વગેરે વાપરવાની છૂટ કેમ આપવામાં આવી છે ?
સમાધાન– ભગવતી સૂત્રના જોગમાં ૭૫ કાલગ્રહણ પૂર્ણ થયા પછી લીલોતરી અને ફળ વગેરે લઇ શકાય છે. આ એક આપવાદિક આચરણા છે. આ જોગ લાંબા કાળ સુધીના છે અને આગાઢ છે. એથી કોઇનું શરીર તેવું સશક્ત ન હોય તો આવી વસ્તુનો ઉપયોગ કરીને પણ જોગ પૂર્ણ કરે. આથી આનો તાત્પર્યાર્થ એ છે કે, જેનું શરીર નબળું હોય અને એથી આવી વસ્તુના ઉપયોગ વિના જોગ પૂર્ણ ન કરી શકે તેવા જ સાધુએ આનો ઉપયોગ કરવો જોઇએ. ગમે તે(=સમર્થ પણ) સાધુએ આનો ઉપયોગ ન કરવો જોઇએ. સમર્થ પણ સાધુ આનો ઉપયોગ કરે તો દોષનો ભાગીદાર બને. આપવાદિક આચરણાને ઔત્સર્ગિત ન બનાવવી જોઇએ.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org