SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ શંકા-સમાધાન ઊઠી જાય કે નહિ? ગૃહસ્થ પોતાનાં વાસણોમાં આહાર-પાણી લઈ જઈને વૃદ્ધ-અશક્ત સાધુ-સાધ્વીને ઉપાશ્રયમાં જઈને એમનાં પાત્રમાં આહાર-પાણી વહોરાવે, અથવા ભક્ત શ્રાવક કે નોકર ગૃહસ્થના ઘેરથી વાસણોમાં આહાર-પાણી ઉપાશ્રયમાં લાવીને સાધુ-સાધ્વીને એમના પાત્રમાં એમની નજર સામે વહોરાવે તે યોગ્ય જણાય છે. આ વિષયમાં શ્રીસંઘને આપનું શાસ્ત્રીય માર્ગદર્શન જરૂરી છે. સમાધાન– શાસ્ત્રમાં વૃદ્ધ-અશક્ત-ગ્લાન સાધુ-સાધ્વીની વેયાવચ્ચે કરવાની જે વિધિ બતાવવામાં આવી છે તે વિધિનું પાલન બરોબર કરવામાં આવે, તો આવી રીતે ગૃહસ્થને ઘરે વહોરવા જવું પડે કે વહોરાવવા ઉપાશ્રયમાં આવવું પડે તેવી પરિસ્થિતિ ન સર્જાય. આમ છતાં કદાચ આવી પરિસ્થિતિ સર્જાય તો વૃદ્ધ-અશક્ત-ગ્લાન સાધુએ પોતાની પરિસ્થિતિ અને સંયોગો વગેરે પોતાના ગચ્છાધિપતિને કે વડીલને જણાવવા જોઇએ. પછી ગચ્છાધિપતિ કે વડીલ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ વગેરેને વિચારીને જે પ્રમાણે વહોરવાની અનુજ્ઞા આપે તે પ્રમાણે વહોરવું જોઈએ. આ વિષયમાં અમુક રીતે જ વહોરાય કે અમુક રીતે ન જ વહોરાય, એવો એકાંતે જવાબ આપી શકાય નહિ. આથી જ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે- “પિંડ, શવ્યા, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે જે કંઈ શુદ્ધ હોવાથી કષ્ય હોવા છતાં સંયમનો ઘાત કરનાર હોય તો અકથ્ય બને છે અને અકથ્ય પણ સંયમની રક્ષા-વૃદ્ધિમાં મદદગાર થાય તો કથ્ય બને છે. આમ, કોઈ વસ્તુ એકાંતે કથ્ય કે અકથ્ય નથી. અમુક વસ્તુ કથ્ય છે કે નહિ તેના નિર્ણય માટે દેશ, કાલ, પુરુષ, અવસ્થા, ઉપયોગ, શુદ્ધિ અને પરિણામનો વિચાર કરવો જોઇએ.” આ જ નિયમ પ્રસ્તુતમાં લાગુ પડે છે : વૃદ્ધ-ગ્લાન-અશક્ત સાધુ પોતે ગીતાર્થ હોય તો ઉપર કહ્યું તેમ જાતે દેશ-કાળાદિનો વિચાર કરીને જે યોગ્ય લાગે તે કરે. પોતે ગીતાર્થ ન હોય તો પોતાના ગીતાર્થ વડીલ વગેરેની સલાહ લઇને તે કહે તેમ કરે. પણ મૂળમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy