________________
૩૩૦
શંકા-સમાધાન સશક્ત હોય છતાં કેવળ વ્યક્તિરાગ આદિથી પ્રેરાઈને સાધુ માટે આહાર વગેરે બનાવે અને સાધુ તેવો આહાર વગેરે વાપરે તો લેનાર અને આપનાર એ બંનેનું અહિત થાય. કારણ કે લેનારને સંસારની વૃદ્ધિ થાય અને આપનારને અલ્પ આયુષ્યનો બંધ થાય, આ વિષે યતિદિનચર્યા ગ્રંથમાં કહ્યું છે કે “જે સાધુ આ આહાર શુદ્ધ છે કે અશુદ્ધ એવી તપાસ કરતો નથી તે ચારિત્રરહિત છે, એમાં સંશય નથી. ચારિત્ર ન હોય તો સંપૂર્ણ દીક્ષા નકામી છે.”
નિષ્કારણ દોષિત આહાર વહોરાવનારને અલ્પ આયુષ્યનો બંધ થાય. આ વિષે ભગવતીજી સૂત્રમાં પાઠ આ પ્રમાણે છે- શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે “હે ભગવંત ! જીવો કયા કારણે અલ્પ આયુષ્યવાળું કર્મ બાંધે છે ?” ઉત્તરમાં ભગવાન મહાવીર કહે છે કે “હે ગૌતમ ! જેઓ જીવહિંસા કરનારા હોય, જુઠું બોલનારા હોય, સાધુઓને દોષિત આહાર વહોરાવનારા હોય, એવા જીવો નિશ્ચયથી અલ્પ આયુષ્યવાળું કર્મ બાંધે છે.” આ ઉત્સર્ગની વાત કરી. હવે અપવાદને પણ વિચારીએ.
આચાર્ય બીમાર હોય, અશક્ત હોય ઈત્યાદિ પુષ્ટ કારણથી અશુદ્ધ આહાર લેનાર અને આપનાર એ બંનેનું હિત થાય. તેવા પુષ્ટ કારણથી અશુદ્ધ આહાર લેનાર માટે વ્યવહારભાષ્ય સૂત્રમાં કહ્યું છે કે“અપવાદને સેવીને હું મોક્ષમાર્ગને અખંડ રાખીશ અથવા જ્ઞાનાદિનો અભ્યાસ કરીશ અથવા તપ-ઉપધાનમાં વિશેષ ઉદ્યમ કરીશ, અથવા ગચ્છની સાર-સંભાળ કરીશ. આવા શુદ્ધ આલંબનથી અપવાદને સેવવા છતાં (દોષિત આહાર વાપરવા છતાં) તે મોક્ષને પામે છે.”
પુષ્ટ કારણથી અશુદ્ધ આહાર આપનાર અંગે પણ ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે- હે ભગવંત ! પુષ્ટ કારણે સાધુને દોષિત આહાર વહોરાવે તો તેને શું ફળ મળે ? હે ગૌતમ ! તેને ઘણી નિર્જરા થાય અને અલ્પ પાપ કર્મ બંધાય.
અહીં નુકસાન કરતાં લાભ વધારે છે. ડાહ્યા માણસો થોડી હાનિ ભોગવીને પણ વધારે લાભ મેળવવાની ઇચ્છાવાળા હોય છે. આથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org