________________
૩૨૪
શંકા-સમાધાન
છોડ્યું નહિ. આ નિયાણાથી સંભૂતિ મુનિએ બધી સાધનાનું લીલામ કરી નાખ્યું. નિયાણું એટલે સાધનાનું લીલામ.
સુનંદાના કેશનો સ્પર્શ ન થયો હોત તો આમ ન બનત. જો રાણીએ મર્યાદાનું પાલન કરવા દૂરથી વંદન કર્યું હોત તો આ ન બનત. માટે સ્ત્રીઓએ સાધુને દૂરથી વંદન કરવું જોઇએ.
સાધુઓ પાસે સ્ત્રીઓએ પાળવાની કેટલીક મર્યાદાઓસ્ત્રીઓએ સાધુ આગળ આ સિવાય બીજી પણ કેટલીક મર્યાદાઓનું પાલન કરવું જોઇએ. જેમકે– (૧) વ્યાખ્યાનના સમય સિવાય સ્ત્રીઓએ સાધુ પાસે ન જવું
જોઇએ. આથી જ સુવિશુદ્ધસંયમી અને સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના સમુદાયના સાધુઓ માટે વ્યાખ્યાનના સમય સિવાય સ્ત્રીઓ સાધુ પાસે ન આવે એ માટે પ્રયત્ન કર્યો હતો. કદાચ વ્યાખ્યાનના સમય સિવાય સાધુ આગળ જવું પડે તો પણ અકાળે તો ન જ જવું જોઈએ. સવારના સૂર્યોદય પહેલાં, બપોરે બારથી ચાર વાગ્યા સુધી, સાંજના સૂર્યાસ્ત બાદ, આ
સમય સામાન્યથી અકાળ છે. (૨) સ્ત્રીઓએ સાધુઓ પાસે વધારે સમય ન બેસવું જોઇએ. કંઈ
પૂછવું હોય કે કહેવું હોય તો જેમ બને તેમ જલદી પતાવવું જોઈએ. બિનજરૂરી વાતો સાધુ પાસે જરાય ન કરવી જોઈએ. સાધુ પાસે બિનજરૂરી વધારે સમય બેસી રહે અને વિવિધ વાતો કરે એવું આજે વધતું જણાય છે. એનાથી સાધુઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ક્યારેક ગૃહસ્થો પણ આવું જોઇને સાધુ
પ્રત્યે અરુચિવાળા બની જાય છે. (૩) સ્ત્રીઓએ રસ્તામાં સાધુ સાથે વાત ન કરવી જોઇએ, કંઈ
પૂછવું ન જોઇએ, પચ્ચકખાણ પણ ન લેવું જોઈએ. સાધુઓએ
પણ આ બાબતની પૂર્ણ કાળજી રાખવી જોઇએ. (૪) સાધુ પાસે એકલી સ્ત્રીએ જવું ન જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org