SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૨૩ પાંચ મહાવ્રતોમાં સૌથી પહેલું મહાવ્રત અહિંસાના પાલન સ્વરૂપ છે. અહિંસાના પાલન માટે સાધુથી વ્હીલચેર જેવા વાહનોનો ઉપયોગ ન કરી શકાય. ફોન, લાઇટ અને માઈકનો ઉપયોગ ન કરી શકાય. ચોથા અને પાંચમા મહાવ્રતના પાલન માટે સાધુઓએ સદા કંચન અને કામિનીના સંગથી અને સ્પર્શથી પણ દૂર રહેવું જોઇએ. સીધી રીતે કે આડકતરી રીતે પણ સાધુઓને પૈસા સાથે કોઇ પ્રકારનો સંબંધ ન હોવો જોઈએ. ચોથા મહાવ્રતના પાલન માટે શાસ્ત્રમાં સ્ત્રીઓને આશ્રયીને ગુરુનો અવગ્રહ ૧૩ હાથનો કહ્યો છે, અર્થાત્ સ્ત્રીઓએ ગુરુથી ૧૩ હાથ દૂર રહેવું જોઇએ. ૧૩ હાથથી નજીક જવું હોય, તો ગુરુની રજા લેવી જોઈએ. આનાથી એ સિદ્ધ થાય છે કે ખાસ કારણ વિના સ્ત્રીઓથી સાધુઓની બહુ નજીક ન અવાય. એટલે સ્ત્રીઓએ સાધુઓને દૂર રહીને વંદન કરવું જોઇએ. આ મર્યાદાનો ભંગ થાય તો નુકસાનની સંભાવના રહે. આ મર્યાદાના ભંગે તો એક ઉત્તમ આત્માની જીવનપર્યતની સાધનાને ખતમ કરી નાખી. બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવનો એક પ્રસંગ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી પૂર્વભવમાં સંભૂતિ નામના મુનિ હતા. ચિત્ર અને સંભૂતિ નામના બે બંધુઓએ સાથે દીક્ષા લીધી. ઘણા કાળ સુધી સંયમનું પાલન કર્યા પછી બંનેએ અનશન કર્યું. એકવાર સનકુમાર ચક્રી પોતાના સ્ત્રીરત્ન સુનંદા આદિ પરિવાર સહિત આ તપસ્વી મુનિઓને વંદન કરવા આવ્યો. સુનંદાએ મુનિઓની નજીક જઈને વંદન કર્યું. વંદન કરતાં સંભૂતિ મુનિને સુનંદાના કેશના ચોટલાનો સ્પર્શ થયો. અત્યંત સુકોમળ કેશનો સ્પર્શ થતાં જ મુનિ રોમાંચિત બની ગયા. એ સ્પર્શે એમના અંતરને હલબલાવી નાખ્યું. મુનિ મોહના ઝપાટામાં આવી ગયા. આથી સનકુમાર ચક્રીના ગયા પછી તેમણે નિયાણું કર્યું કે “જો મારા આ દુષ્કર તપનું ફળ હોય તો હું ભાવિ જન્મમાં આવા સ્ત્રીરત્નનો પતિ થાઉં.” ચિત્ર મુનિએ આવું નિયાણું છોડી દેવા ઘણું સમજાવ્યું. પણ સંભૂતિ મુનિએ નિયાણું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy