________________
૩૨૨
શંકા-સમાધાન
અવગ્રહ ૩ી હાથનો છે. પરપક્ષ અવગ્રહ ૧૩ હાથનો છે. આથી સાધુને અને શ્રાવકને આશ્રયીને ૩. હાથ અને સાધ્વી-શ્રાવિકાને આશ્રયીને ૧૩ હાથ ગુરુનો અવગ્રહ છે. ગુરુણીનો અવગ્રહ સાધુ-શ્રાવકને આશ્રયીને ૧૩ હાથ અને સાધ્વી-શ્રાવિકા આશ્રયીને ૩ી હાથ છે.
ગુરુની ચારે બાજુ જેટલી ભૂમિમાં ગુરુની અનુજ્ઞા વિના ન જવાય તેટલી ભૂમિ ગુરુનો અવગ્રહ કહેવાય. આથી ગુરુની રજા વિના કોઇએ ગુરુના અવગ્રહમાં પ્રવેશ ન કરવો જોઈએ. અવગ્રહથી ગુરુનું સન્માન સચવાય છે. ગુરુની આશાતનાઓ ટળે છે, તેમજ શીલસદાચારનું પણ સારી રીતે પાલન થાય છે. આથી અવગ્રહનું પાલન કરવા ચતુર્વિધ સંઘે બહુ જ કાળજી રાખવી જોઈએ. તેમાં પણ પરપક્ષ સંબંધી અવગ્રહના પાલનમાં વિશેષ કાળજી રાખવી જોઈએ. આ અવગ્રહનું ધ્યાન ન રખાય તો પતન થવાનો સંભવ રહે.
શંકા– ૭૪૩. કુગુરુ અને સુગુરુનો ભેદ શો છે? સુરંગોનો એવો પાઠ છે. તો તેનું સ્પષ્ટીકરણ કરશો.
સમાધાન– જૈનશાસનમાં દેવ-ગુરુ-ધર્મ એ ત્રણ તત્ત્વોમાં અપેક્ષાએ ગુરુનું અધિક મહત્ત્વ છે. આથી જ અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથમાં કહ્યું છે કે- “સર્વ તત્ત્વોમાં ગુરુ મુખ્ય છે, આત્મહિત માટે જે જે ધર્મો કરવાના છે, તે તે તેમના કહેવાથી સાધી શકાય છે. માટે હે મૂઢ ! જો હું તેમની પરીક્ષા કર્યા વગર તેમનો આશ્રય કરીશ, તો તારી ધર્મ સંબંધી બધી મહેનત નકામી થશે.”
આથી ધર્મનો અર્થી જીવ સુગુરુને ઓળખીને સુગુરુની ઉપાસના કરે. કલિકાલસર્વજ્ઞ પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે સુગુરુનું સ્વરૂપ આ પ્રમાણે જણાવ્યું છે–
महाव्रतधरा धीरा भैक्षमात्रोपजीविनः । સામયિસ્થા ધશા ગુરવો મત: | (યોગશાસ્ત્ર ૨/૮)
“પાંચ મહાવ્રતોને ધારણ કરનારા, કષ્ટોને સહન કરવામાં ધીર, માત્ર ભિક્ષાથી જીવનનિર્વાહ કરનારા, સદા સમભાવમાં રહેનારા અને શુદ્ધ ધર્મનો ઉપદેશ આપનારા સાધુઓ ગુરુ તરીકે સંમત છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org