SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શંકા-સમાધાન મિનિટથી પણ ઓછો) સમય થાય. અહીં આટલો પણ સમય સ્વાધ્યાયમાં પલિમંથ ન થવો જોઇએ, એમ કહીને શાસ્ત્રકારોએ સાધુઓ માટે સ્વાધ્યાયયોગ ઉપર વધારે ભાર મૂકીને સ્વાધ્યાયની અતિમહત્તા બતાવી છે. આની પરથી રોજ વાસક્ષેપની પ્રવૃત્તિ ગીતાર્થોએ બંધ કરાવવી જોઇએ. અહીં કોઇ એમ કહે કે ગુરુપૂજન કરવાથી ભાવ વધે છે. તો આ અંગે જણાવવાનું કે, ઉપદેશપદ મહાગ્રંથમાં ગા. ૧૮૭માં સ્પષ્ટ લખ્યું છે કે “આજ્ઞાનિરપેક્ષ પરિણામ પણ(=શુભભાવ પણ) અવશ્ય અશુદ્ધ જ છે. કારણ કે તીર્થંકરને વિશે બહુમાન ન હોવાથી તે પરિણામ અસદ્ આગ્રહ રૂપ જાણવો.” આ અંગે વિશેષ વિગત ગીતાર્થીએ ઉપદેશપદમાંથી જોઇ લેવી જોઇએ. શંકા— ૭૪૦. વંદના કરવા, પ્રશ્ન પૂછવા, આલોચના લેવા, પચ્ચક્ખાણ લેવા, વૈયાવચ્ચ કરવા આ બધા માટે વિનય ખાતર ગુર્વાશા લેવી જોઇએ કે નહિ ? સમાધાન– ગુર્વાજ્ઞા બે પ્રકારની છે. (૧) હું આ કાર્ય કરું ? એમ પૂછવા રૂપ અને હું આ કાર્ય કરવાને ઇચ્છું છું એમ જણાવવા રૂપ. તેમાં વંદન કરવામાં હું આપને વંદન કરું ? એમ પૂછવાની જરૂર નથી. કેમકે ઇચ્છા મિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ એમ બોલીને શિષ્ય હું આપવાને વંદન કરવાને ઇચ્છું છું એમ જણાવે છે. તેમાં ગુરુ ‘છંદેણ' કહે તો વંદન કરે અને ‘પ્રતીક્ષસ્વ’ એમ કહે તો થોડીવાર પછી વંદન કરે. પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપને અનુકૂળતા હોય તો પ્રશ્ન પૂછું ? એમ આજ્ઞા લેવી જોઇએ. આલોચના લેવા માટે તો આલોચના લેવાની જે વિધિ બતાવી છે તેમાં “સોધિ સંદિસાહું ?” એમ કહીને આજ્ઞા લેવામાં આવે છે. આજે આ વિધિ મોટા ભાગે થતો નથી. આથી આપને અનુકૂળતા હોય તો મારે આલોચના લેવી છે.” એમ જણાવવા રૂપ આજ્ઞા લેવી જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy