________________
શંકા-સમાધાન
૩૧૯ ઉલ્લેખ નથી. સાધુની શાસ્ત્રોક્ત દિનચર્યામાં દરરોજ શ્રાવકોને વાસક્ષેપ નાખવાનો ઉલ્લેખ નથી.
શંકા- ૭૩૯. આજે કેટલાક શ્રાવક-શ્રાવિકાઓ દરરોજ ગુરુપૂજન કરીને મસ્તકે વાસક્ષેપ નખાવતા હોય છે, તો આ પ્રવૃત્તિ શાસ્ત્રવિહિત છે ?
સમાધાન– આ પ્રવૃત્તિ શાસ્ત્રવિહિત નથી. શાસ્ત્રમાં શ્રાવકના આચારોને દર્શાવનારા કોઈ ગ્રંથમાં દરરોજ ગુરુપૂજન કરીને મસ્તકે વાસક્ષેપ નંખાવવાનું કહ્યું નથી. દરરોજ વંદન કરવાનું શાસ્ત્રવિહિત છે. જો ગુરુવંદન ન કરે તો શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. શાસ્ત્રો પરસ્પર વિરોધ આવે તેવું વિધાન ન કરે. કલ્પના કરો કે, આ રીતે ગુરુપૂજન કરીને મસ્તકે વાસક્ષેપ કરાવનારા શ્રાવકોની સંખ્યા વધતી જાય, અને સાધુ આ રીતે વાસક્ષેપ કર્યા જ કરે, તો સ્વાધ્યાયમાં વિક્ષેપ થયા વિના ન રહે. સાધુને સ્વાધ્યાયમાં પલિમંથન સ્વાધ્યાય વિઘાત) ન થાય, એટલા માટે પાત્રનું પડિલેહણ બેઠા બેઠા કરવાનું કહ્યું છે. ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં પાત્ર સંબંધી વસ્ત્રોનું પડિલેહણ આસન ઉપર બેસીને કરવાનું વિધાન કરીને સાધુઓ માટે સ્વાધ્યાયનું અતિશય મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. સવારના પાત્ર પ્રતિલેખનની વિધિમાં કહ્યું છે કે આસન ઉપર બેસીને પાત્રનું અને પાત્ર સંબંધી વસ્ત્રોનું પડિલેહણ કરે, અહીં શિષ્ય પ્રશ્ન કર્યો કે વસ્ત્રોનું પડિલેહણ ઉકુટુક થઈને (ઉત્કટુક બેસીને) કરવાનું વિધાન છે. આથી પાત્રનાં વસ્ત્રોનું પણ પડિલેહણ ઉભુટુક થઈને કરવું જોઈએ. તો અહીં પાત્રનાં વસ્ત્રોનું પડિલેહણ આસન ઉપર બેસીને કરવાનું કેમ કહ્યું? આના ઉત્તરમાં જણાવ્યું કે સાધુ પહેલા આસન ઉપર બેસે પછી પાત્રના વસ્ત્રોની પડિલેહણા માટે ઉત્કટુક થાય, પછી ફરી પાત્ર પ્રતિલેખન માટે બેસે. આમ કરવામાં સમય જાય, એથી સ્વાધ્યાયનો પલિમથ થાય, સ્વાધ્યાય ઓછો થાય, આથી પાત્રનાં વસ્ત્રોનું પડિલેહણ પણ આસન ઉપર બેસીને જ કરવું. આસને બેસીને ઉકુટુક થવામાં ઉત્કટુક થઈને ફરી આસને બેસવામાં અત્યંત અલ્પ (એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org