________________
શંકા-સમાધાન
૩૧૭
તેને લાભ આપવો જોઇએ. આર્થિક સ્થિતિ સામાન્ય હોય અને વધારે લાભ આપી દેવામાં આવે તો શ્રાવકની ભાવનાને ઠેસ વાગે, એવું પણ બને. માટે સાધુએ આ વિષે અતિશય ઉપયોગ રાખવો જોઇએ.
શંકા- ૭૩૬. શ્રાવક-શ્રાવિકાએ માર્ગમાં અથવા પ્રથમ દર્શને શાતા પૂછવી યોગ્ય છે કે “મથએ વંદામિ” કહેવું યોગ્ય છે ?
સમાધાન- “મર્થીએણ વંદામિ” કહેવું યોગ્ય છે. પછી અવસર હોય તો શાતા પૂછી શકાય.
શંકા- ૭૩૭. વિરતિવંત સાધુ-સાધ્વીની હાજરીમાં અવિરતિવંત એવા શ્રાવક-શ્રાવિકાનું લક્ષ્મીનો સદુપયોગ કરવા આદિનું આલંબન લઈને શ્રાવકોચિત બહુમાન કરાય છે તે યોગ્ય છે ?
સમાધાન- સાધુ-સાધ્વીજીની હાજરીમાં શ્રાવક-શ્રાવિકાઓને બે હાથ જોડીને વંદન કરવાનો વિધિ શાસ્ત્રમાં જણાવ્યો છે. જો સાધુસાધ્વીજીની હાજરીમાં શ્રાવક-શ્રાવિકાઓને વંદન થઈ શકતું હોય તો પછી ઉચિત રીતે બહુમાન કરવામાં શો વાંધો ?
શંકા- ૭૩૮. વાસક્ષેપ નાખવાનું તથા મહિને મહિને વાસક્ષેપના પેકેટ મોકલાય તેનું પ્રયોજન શું? તેનાથી ધર્મલાભ કયા પ્રકારનો છે?
સમાધાન– શ્રાવકોને દરરોજ વાસક્ષેપ નાખવાનું કોઈ શાસ્ત્રમાં વિધાન નથી તથા મહિને મહિને વાસક્ષેપના પેકેટ મોકલવાનું પણ વિધાન નથી. મહિને મહિને વાસક્ષેપના પેકેટ મોકલાય તેનું પ્રયોજન શું છે? તે તો વાસક્ષેપ મોકલનારાઓ જાણે. તેનાથી ધર્મલાભ કયા પ્રકારનો છે? તે પણ પ્રશ્નકારે વાસક્ષેપ મોકલનારાઓને જ પૂછવું જોઇએ.
બાકી શાસ્ત્રમાં તો નિત્ય સ્વાધ્યાય-સંયમતાનાં-સાધુઓ સદા સ્વાધ્યાય અને સંયમમાં રત રહેનારા હોય એમ કહ્યું છે. શાસ્ત્રીય આ વિધાનની સાથે શ્રાવકોની દરરોજ વાસક્ષેપ નખાવવાની અને મહિને મહિને વાસક્ષેપના પેકેટ મોકલવાની પ્રવૃત્તિ સાથે જરાય મેળ બેસે તેમ નથી.
સાધુઓ માટે દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે, શાહી સંથ ન સુન્ના, ના સાર્દ સંશવં- સાધુ ગૃહસ્થોનો પરિચય ન કરે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org