SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શંકા-સમાધાન તો સાધુથી ન જ વહો૨ાય. વહોરાવવા માટે થોડું જવું-આવવું વગેરે પ્રવૃત્તિ થવાની જ. તેમાં તે ઇરિયાસમિતિપૂર્વક જ ચાલે એવું નથી. શાસ્ત્રમાં અભ્યાહત દોષ જણાવેલ છે. અભ્યાહત એટલે સામે લાવેલું. સાધુને વહોરાવવા માટે સાધુની પાસે ભોજન લાવે તો અભ્યાહત દોષ ગણાય. આમ છતાં આગળના ભાગમાં જમનારા લોકોની પંગત બેઠી હોય અને બીજા છેડે આહાર હોય અને ત્યાં લેવા માટે સ્ત્રી-સંઘટ્ટા આદિના ભયથી સાધુથી જવાય તેમ ન હોય ત્યારે સો હાથની અંદરથી લાવેલ કલ્પે. અહીં લાવનાર ઇર્યાસમિતિ પૂર્વક ચાલે એવો નિયમ નથી તથા અહીં ઇર્યાસમિતિ પૂર્વક ચાલીને લાવે તો જ કલ્પે એવું પણ લખ્યું નથી. શંકા ૭૩૫. આજકાલ કેટલાક શ્રાવકો સાધુ-સાધ્વીને ઔષધનો લાભ આપવા જ કહેતા હોય છે, તેઓ ઔષધના લાભમાં જ મોટો લાભ માનતા હોય છે. તે યોગ્ય છે ? “ઔષધનો લાભ આપો” એવી માગણી વધુ લાભપ્રદ છે કે ‘સંયમમાં ઉપકારક ચીજવસ્તુનો લાભ આપો' એવી માગણી વધુ લાભપ્રદ છે ? સમાધાન– “ઔષધનો લાભ આપો” એવી માગણી કરતાં “સંયમમાં ઉપકારક ચીજવસ્તુનો લાભ આપો” એવી માગણી વધુ લાભપ્રદ છે. ‘ઔષધનો લાભ આપો” એવી માગણીમાં પણ આશય તો સાધુઓને ઉપયોગી બને તેવી વસ્તુનો લાભ લેવાનો હોય છે. પણ અજ્ઞાનતા આદિના કારણે આવું બોલતા હોય છે. એટલે સાધુઓ તેમને સમજાવે તો શ્રાવકો “સંયમમાં ઉપયોગી વસ્તુનો લાભ આપો” એવી માગણી કરતા થઇ જાય. અથવા “ઔષધ વગેરે જરૂરી વસ્તુનો લાભ આપો’ એવી માગણી કરવી જોઇએ એમ પણ સમજાવી શકાય. ઔષધ વગેરે જરૂરી વસ્તુનો લાભ આપો એમ ‘વગેરે' શબ્દ બોલવાથી સંયમમાં ઉપયોગી બધી વસ્તુનો સમાવેશ થઇ જાય છે. શ્રાવકો માટે આ વાત કહી. બાકી સાધુઓની ફ૨જ જુદી છે. શ્રાવક જ્યારે “ઔષધ વગેરે જરૂરી વસ્તુનો લાભ આપો” એમ માગણી કરે ત્યારે તેની આર્થિક સ્થિતિ અને ભાવ વગેરે જોઇને તે પ્રમાણે For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy