SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૧૫ છે ? અથવા પાટ ઉપર બિરાજમાન ગુરુને વાંદણા પ્રભુજીને પડદો કરીને કેમ આપવામાં આવે છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે અહીં ગુરુ પોતે ત્રિલોકના નાથ પ્રભુજીની સમક્ષ હું વંદન કેમ લઉં ? એમ પોતાની લઘુતા બતાવવા માટે પ્રભુજીને પડદો કરાવે છે જ્યારે મંદિરમાં તો સ્થાપનાગુરુ હોય છે. શંકા— ૭૩૩. સાધ્વીજી ભગવંતો પક્ષી આદિના ખામણા કરવા માટે પહેલા રાઇ મુહપતિ કરીને પછી પક્ષી આદિના આદેશો માંગે છે, તે યોગ્ય છે ? સમાધાન– આજે આવી આચરણા જોવામાં આવે છે, પણ પરમાર્થથી વિચારવામાં આવે તો સાધ્વીજીઓને આચાર્ય ભગવંતની સાથે રાઇ વગેરે કોઇપણ પ્રકારનું પ્રતિક્રમણ કરવાનું હોતું નથી એથી પક્ષી ખામણા કરતી વખતે ઇરિયાવહિયં કરીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું એમ આદેશ માંગી મુહપત્તિનું પડિલેહણ કરીને બે વાંદણા આપીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સંબુદ્ધા ખામણેણં અભૂઢિઓમિ અભિતર પક્ખીઅં ખામેઉં ? એમ કહીને અબ્બુઢિઓ બોલવાથી પક્ષી આદિ ખામણા થઇ જાય. શંકા- ૭૩૪. ગોચરી વહોરાવતાં શ્રાવક ખાલી ગ્લાસને એક સ્થાનથી બીજા સ્થાને મૂકે તો દોષ લાગે ? જો દોષ લાગે તો શ્રાવક વહોરાવતી વખતે મુહપત્તિ વગર બોલે, ઇર્યાસમિતિ વગર ચાલે વગેરેમાં પણ દોષ ન લાગે ? શું વહોરાવતી વખતે શ્રાવક અષ્ટ પ્રવચન માતાનું પાલન કરે તેવો આગ્રહ રાખી શકાય ? સમાધાન- ગોચરી વહોરાવતાં શ્રાવક ખાલી ગ્લાસને એક સ્થાનથી બીજા સ્થાને મૂકે ત્યારે જો કીડી મરી જાય વગેરે જીવવિરાધના થાય તો દોષ લાગે, અન્યથા ન લાગે. વહોરાવતી વખતે શ્રાવક અષ્ટ પ્રવચન માતાનું પાલન કરે એવો આગ્રહ ન સાધુથી રાખી શકાય. પણ વહોરાવવા માટે બોલવા આદિ સિવાય કોઇ જીવવિરાધના ન કરે એવો આગ્રહ રાખી શકાય. વહોરાવવા માટે બોલવા આદિ સિવાય કોઇ પણ પ્રકારની જીવવિરાધના કરે For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy