________________
૩૧૪
શંકા-સમાધાન
સમાધાન– કૃષ્ણ મહારાજાએ મુખ્ય મુખ્ય સાધુઓને વિધિપૂર્વક વંદન કર્યું. બાકીના બધા સાધુઓને એક જ સ્થળે રહીને બે હાથ જોડીને ભાવથી એકી સાથે વંદન કર્યું. આથી સમય પહોંચવાનો પ્રશ્ન રહેતો નથી. સેનપ્રશ્ન ગ્રંથમાં ૪૬૫ પ્રશ્નના ઉત્તરમાં આવા જ ભાવનું જણાવ્યું છે.
શંકા- ૭૩૨. ચૈત્યવંદનમાં “જાવંત કે વિ સાહૂ' સૂત્ર બોલાય છે. તે સૂત્રથી સર્વ મુનિઓને વંદન કરવામાં આવે છે. જિનેશ્વરની સમક્ષ સાધુઓને વંદન કરવું ઉચિત કેવી રીતે ગણાય ?
સમાધાન– જિનેશ્વરની સમક્ષ સાધુને વંદન કરવામાં કોઈ દોષ નથી. આથી જ પ્રશ્નોત્તર સાર્ધશતક ગ્રંથમાં નવમા પ્રશ્નોત્તરમાં શ્રીકૃષ્ણ વાસુદેવે શ્રી નેમિજિન સમક્ષ સર્વ સાધુઓને વંદન કર્યું એ દૃષ્ટાંત આપીને જિનમંદિરમાં સાધુઓને વંદન ન થાય એવા મતનું ખંડન કર્યું છે અને વંદન થાય એમ સિદ્ધ કર્યું છે. ચૈત્યવંદન ભાષ્યમાં ચૈત્યવંદનમાં જિનેશ્વર ભગવંતો, મુનિવરો, શ્રુતજ્ઞાન અને સિદ્ધો એ ચારને વંદનીય કહ્યા છે. દેવને વંદન કર્યા પછી ગુરુને વંદન કરવાનું હોય છે. આથી ચૈત્યવંદનમાં નમુસ્કુર્ણ સૂત્રથી ભાવજિનને, ને ર મા સિદ્ધાં. એ પાઠથી દ્રવ્ય જિનને “જાવંતિ ચેઇઆઇ” સૂત્રથી સ્થાપના જિનને વંદન કર્યા પછી “જાવંત કે વિ સાહૂ સૂત્રથી સાધુઓને વંદન કરવામાં આવે છે. જેવી રીતે સિદ્ધચક્ર યંત્રમાં અરિહંત-સિદ્ધ એ બે દેવને પૂજ્યા પછી આચાર્ય વગેરેને પૂજવામાં આવે છે તેવી રીતે અહીં પણ જિનને વંદન કર્યા પછી ગુરુને વંદન કરવામાં અનુચિત જેવું નથી. દેવવંદનની જેમ ગુરુવંદન પણ દરરોજ કરવું જોઈએ એમ સૂચવવા માટે ચૈત્યવંદનમાં આ રીતે ગુરુવંદન કરવાનું વિધાન હોય એમ સંભવે છે.
અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે જો પ્રભુની સમક્ષ ગુરુવંદન કરવામાં વાંધો નથી, તો પછી દીક્ષા વગેરેના પ્રસંગે નાણસમક્ષ ગુરુને વંદન કરવા માટે પ્રભુજીને પડદો કેમ કરવામાં આવે છે ? અર્થાત્ પ્રભુજીને પડદો કરીને વાંદણા વગેરે કેમ આપવામાં આવે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org