SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૧૩ સમાધાન– તે યોગ્ય નથી. શ્રાવકોને ગુરુની રજા લીધા વિના ગુરુના અવગ્રહમાં (૩ી હાથમાં) આવવાનો પણ નિષેધ છે તો પછી ગુરુના શરીરને સ્પર્શ કરવાની વાત જ ક્યાં રહી ? આજે અજ્ઞાનતાના કારણે વંદન સિવાય પણ ગુરુના શરીરને સ્પર્શતા હોય છે. વિના કારણે શરીર દબાવતા હોય છે. આવું કરવું યોગ્ય નથી. વળી કેટલાક શ્રાવકો તો ભગવાનના ખોળામાં માથું મૂકીને બે જાનુને બે હાથથી સ્પર્શીને કંઈક પ્રાર્થના કરતા હોય છે આ બધું યોગ્ય નથી. શ્રાવકે દેવ-ગુરુની ભક્તિ વિવેકપૂર્વક કરવી જોઇએ. શંકા– ૭૨૯. શ્રાવકોને હૃદયમાં ગુરુ પ્રત્યે સારો ભાવ છે અને ભગવાન પ્રત્યે પણ સારો ભાવ છે તેથી ઉક્ત રીતે સ્પર્શીને વંદનાદિ કરે છે તો તેમાં શું વાંધો ? સમાધાન– સારો ભાવ પણ જિનાજ્ઞાપૂર્વકનો હોય તો તે સારો ભાવ કહેવાય. પણ જિનાજ્ઞાની ઉપેક્ષા કરીને થતો ભાવ એ સારો ભાવ નથી. આ વિશે ઉપદેશ પદ ગા.૧૮૭માં સ્પષ્ટ લખ્યું છે કે આજ્ઞા નિરપેક્ષ પરિણામ પણ( શુભભાવ પણ) અવશ્ય અશુદ્ધ જ છે. કારણ કે તીર્થકરને વિશે બહુમાન ન હોવાથી તે પરિણામ અસદ્ આગ્રહ રૂપ જાણવો.” શંકા- ૭૩૦. સાધુઓ યોગમાં સજઝાય પઠાવે છે. સજઝાય પઠાવવી એટલે શું ? સમાધાન- સ્વાધ્યાય કરવા માટે પૂર્વે વસતિ જોવી, ગુરુને નિવેદન કરવું, વંદન કરવું વગેરે જે વિધિવિશેષ કરવામાં આવે તેને શાસ્ત્રની ભાષામાં સઝાય પઠાવવાની ક્રિયા કહેવામાં આવે છે. પઠ્ઠવણ એટલે પ્રસ્થાપન. પ્રસ્થાપન એટલે પ્રારંભ, સ્વાધ્યાય કરવા માટે પ્રારંભિક ક્રિયા તે પ્રસ્થાપન. શંકા- ૭૩૧. કૃષ્ણ મહારાજાએ ૧૮,૦૦૦ સાધુઓને વંદન કર્યું. એક સાધુને વંદન કરવામાં એક મિનિટ લાગે તો પણ આ કેવી રીતે સંભવે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy