SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૧૧ આચાર્યોની ઉપેક્ષા ન થવી જોઇએ. પોતે જેનાથી ધર્મ પામ્યા હોય તે આચાર્યની જ ભક્તિ સેવા વગેરે કરે અને અજ્ઞાનતાથી બીજા આચાર્યોની ઉપેક્ષા થાય, આવું ન જ બનવું જોઇએ. પંચાશક શાસ્ત્રના પહેલા ભાગમાં “જિનદીક્ષાવિધિ” પંચાશકમાં લખ્યું છે કે, શ્રાવક પોતે જેનાથી ધર્મ પામ્યો હોય, તેવા શુભ આચાર્યાદિને પોતાના અંગત ગુરુ તરીકે સ્વીકારે ને કહે કે, હું આપનો સેવક છું, આપ સંસારસમુદ્રમાં ડૂબેલા મારા નાથ છો, એ પ્રમાણે આત્મ સમર્પણ ક૨વું અને પોતાની પાસે ધન વગેરે જે કંઇ હોય, તે બધુ ગુરુને સમર્પણ કરવું. અલબત્ત ગુરુ ત્યાગી હોવાથી ધન વગેરે ગ્રહણ કરે નહિ પણ અંગત ગુરુ સ્વીકારનાર શ્રાવકની એ ફરજ છે કે તેણે બધું જ ગુરુને સમર્પણ કરી દેવું જોઇએ. આમ કરવાથી ગુરુ સ્વીકાર ન કરે તો પણ અવસરે શાસનની રક્ષા આદિ માટે ધનાદિનો ઉપયોગ કરવા ગુરુ તેને કહી શકે. ધન વગેરે ગુરુને સમર્પણ કર્યું હોય તો ગુરુ અવસરે સંકોચ વિના તેને શાસનરક્ષા આદિ માટે ધનાદિનો ઉપયોગ કરવા કહી શકે, અન્યથા સંકોચ થાય. શ્રાવકની ભાવના એ જ હોવી જોઇએ કે ધન વગેરે મારી વસ્તુનો પહેલો ઉપયોગ શાસન માટે, પછી મારા માટે. શંકા— ૭૨૪. કોઇ કોઇ સમુદાયમાં સાધ્વીજીઓ આચાર્યની સમક્ષ દ૨૨ોજ રાઇ મુહપતિ કરે છે, તે યોગ્ય છે ? સમાધાન– આ વિષયને સમજવા માટે રાઇ મુહપત્તિ શા માટે કરવામાં આવે છે, એ જાણવું જરૂરી છે. પૂર્વે બધા સાધુઓ આચાર્ય ભગવંતની સાથે જ સવા૨નું પ્રતિક્રમણ કરતા હતા, પણ વર્તમાનમાં મોટાભાગે સાધુઓ અલગ પ્રતિક્રમણ કરે છે. આચાર્ય ભગવંતની સમક્ષ આદેશ માગીને રાઇ પ્રતિક્રમણ કરવાની વિધિ સચવાય એ માટે પૂર્વ પરંપરાથી રાઇ મુહપતિ કરવામાં આવે છે. સાધ્વીઓને આચાર્યની સાથે પ્રતિક્રમણ કરવાનું હોતું જ નથી, એથી સાધ્વીઓને રાઇ મુહપતિ કરવાની ક્યાં રહી ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy