________________
શંકા-સમાધાન
૩૦૯ તેમને લાભ આપવો જોઇએ. શ્રાવક-શ્રાવિકાઓ લાભ લેનાર ન હોય, તેવા સંયોગમાં જ વેયાવચ્ચની રકમમાંથી ઔષધ મંગાવવું જોઈએ. લાભ લેનારા શ્રાવક-શ્રાવિકાઓ હોવા છતાં વેયાવચ્ચની રકમમાંથી ઔષધ મંગાવવામાં આવે, તો પછી એમને લાભ ક્યારે મળે ? એમનો ઉદ્ધાર કેવી રીતે થાય ?
શંકા– ૭૧૯. વેયાવચ્ચના પગારમાંથી જીવન જીવનાર-આજીવિકા ચલાવનાર જૈનેતર ગૃહસ્થના ઘરે સાધુ-સાધ્વી વહોરવા જઈ શકે ? શ્રાવકાદિને તેમના ઘરના આહારાદિ કલ્પે ?
સમાધાન- સાધુ-સાધ્વી વહોરવા ન જઈ શકે. શ્રાવકાદિને પણ તેમના ઘરના આહારાદિ ન કલ્પ.
શંકા- ૭૨૦. કોઈ સંઘમાં વેયાવચ્ચ ખાતાની રકમ વધારે હોય, તો તેનો ઉપયોગ જિનભક્તિ સાધારણમાં થઈ શકે ?
સમાધાન- નીચલા ખાતાનું દ્રવ્ય ઉપરના ખાતામાં જઈ શકે છે, એથી વેયાવચ્ચની રકમનો ઉપયોગ જીર્ણોદ્ધાર, મંદિર નિર્માણમાં થઈ શકે, પૂજારીને પગાર, શ્રાવકો માટે પૂજા દ્રવ્યો ખરીદવા આદિમાં આ દ્રવ્યનો ઉપયોગ ન થાય. આમ છતાં આજે વેયાવચ્ચની રકમની ઘણી જરૂર પડતી હોવાથી જે સ્થાનમાં વેયાવચ્ચની રકમ ન હોય, તે સ્થાનમાં આ રકમ આપવી એ વધારે યોગ્ય છે. આજે ઘણા સ્થાનોમાં વેયાવચ્ચની રકમ ન હોવાના કારણે દેવદ્રવ્યની રકમ પણ વાપરી નાખતાં હોય છે. આથી આવા સ્થાનોમાં વેયાવચ્ચની રકમ આપવાથી દેવદ્રવ્યના ભક્ષણના દોષથી બચાવી શકાય.
સાધુ-સાધ્વી સંબંધી શંકા-સમાધાન શંકા– ૭૨૧. ગુરુદ્રવ્યની રકમ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે ?
સમાધાન– શાસ્ત્રમાં ગુરુદ્રવ્યના ભોગાર્ડ અને પૂજાઈ એમ બે પ્રકાર જણાવ્યા છે. તેમાં સાધુઓને વાપરવાનાં વસ્ત્ર-પાત્ર ને આહાર-પાણી વગેરે દ્રવ્ય ભોગાહ(=સાધુઓ વાપરી શકે તેવા) છે. ગુરુપૂજન આદિનું દ્રવ્ય પૂજાહ( પૂજા કરવાને યોગ્ય) છે. આ પૂજાહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org