________________
૩૦૮
શંકા-સમાધાન વેયાવચ્ચ દ્રવ્ય જૈન ડૉકટર વગેરેને ન આપી શકાય, પણ જૈનેતર ડૉ. વગેરેને આપી શકાય.
ખાસ જાણવા જેવું કોઈ પણ પ્રકારની વેયાવચ્ચની રકમમાંથી ઉપાશ્રય બનાવી શકાય નહિ. ઉપાશ્રયનું રીપેરિંગ કે લાઈટ વગેરે કરી શકાય નહિ. વિહારના સ્થાનોમાં ઉપાશ્રય માટે, રસોડાની વ્યવસ્થા માટે કે ગોચરી-પાણી માટે પણ આ રકમનો ઉપયોગ ન થઈ શકે. કારણ કે ઉપાશ્રય-રસોડામાં પૂ. સાધુ-સાધ્વીજી સાથે મુમુક્ષુ કે જૈન માણસ હોય, શ્રાવક-શ્રાવિકા વંદનાદિ માટે આવે, આ બધાને રહેવા-જમવાનો પ્રસંગ બને.
શંકા- ૭૧૬. સાધુઓને ભણાવનાર જૈને પંડિતજીને તથા સાધુની સાથે રહેનાર જૈન ભાઈને (સામાન માટેની સાયકલ ચલાવનારને) વેયાવચ્ચની રકમમાંથી પગાર આપી શકાય ?
સમાધાન- સમર્પિત(=કોઇએ સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ માટે રકમ અર્પણ કરી હોય તે) રકમમાંથી આપી શકાય. પ્રાપ્ત(દીક્ષા પ્રસંગે દીક્ષાર્થીને અર્પણ કરવાના ઉપકરણોની બોલીથી આવેલ) રકમમાંથી ન આપી શકાય.
શંકા- ૭૧૭. સાધુ-સાધ્વીજી માટે જૈનોના ઘર ન હોય તેવા કેટલાક ગામોમાં રસોડા બનાવ્યા છે. તે રસોડામાં વેયાવચ્ચની રકમ આવતી હોય, ત્યાં સાધુ-સાધ્વીજી સાથે મુમુક્ષુ ભાઈ-બહેનો હોય કે કોઈ શ્રાવક-શ્રાવિકા વંદનાર્થે આવ્યા હોય, તો તેઓ ત્યાં જમી શકે ?
સમાધાન– એ રસોડાનું ભોજન ન જમી શકે. જો મકાન વેયાવચ્ચની રકમમાંથી બનાવ્યું હોય તો રહી પણ ન શકે.
શંકા– ૭૧૮. વેયાવચ્ચની રકમ સાધુ-સાધ્વીના ઔષધ (વાપરવાની દવા) માટે ઉપયોગમાં લઈ શકાય ? કે માત્ર સાધુ-સાધ્વીની વેયાવચ્ચ કરનાર પગારદાર ગૃહસ્થને આપી શકાય તથા જૈનેતર ડૉકટર આદિને આપી શકાય ?
સમાધાન– વેયાવચ્ચની રકમ સાધુ-સાધ્વીના ઔષધના ઉપયોગમાં લઈ શકાય. આમ છતાં લાભ લેનારા શ્રાવક-શ્રાવિકાઓ હોય, તો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org