SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૦૭ ભંગ ન થાય. અથવા જેમ લોકો ફેમીલી ડૉ. આદિનો સત્કાર કરે છે તેમ આ કુળદેવી કે ગોત્રદેવી આપણા કુળની રક્ષા કરે છે એમ માનીને પૂજા કરે તો સમ્યકત્વનો ભંગ ન થાય. કેમકે પૂજનીય દેવી છે. એમ માનીને પૂજા નથી કરતો. શંકા- ૭૧૩. તીર્થકરની પૂજા કર્યા પછી ગૌતમસ્વામીજી વગેરે ગણધર ભગવંતોની મૂર્તિની પૂજા કર્યા બાદ એ જ કેસરથી દેવદેવીની પૂજા કરી શકાય ? સમાધાન કરી શકાય. દેવ-દેવીઓની પૂજા કર્યા પછી એ જ કેસરથી ગુરુમૂર્તિ અને પરમાત્માની પૂજા ન થાય પણ ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી એ જ કેસરથી દેવ-દેવીની પૂજા કરી શકાય. એ જ પ્રમાણે ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી એ જ કેસરથી તીર્થકરોની મૂર્તિની પૂજા ન કરી શકાય. પણ તીર્થકરોની મૂર્તિની પૂજા કર્યા બાદ એ જ કેસરથી ગુરુમૂર્તિની પૂજા કરી શકાય. શંકા- ૭૧૪. દેવ-દેવીને ખમાસમણ અપાય ? સમાધાન- દેવી-દેવીને ખમાસમણ ન અપાય, કિંતુ બે હાથ જોડી મસ્તક નમાવી માત્ર પ્રણામ કરાય. વેયાવચ્ચ સંબંધી શંકા-સમાધાન શંકા- ૭૧૫. વેયાવચ્ચ ખાતાની રકમનો ઉપયોગ શેમાં થાય? સમાધાન– જેમ દેવદ્રવ્યના સમર્પિત અને પ્રાપ્ત એમ બે વિભાગ છે, તેમ વૈયાવચ્ચ દ્રવ્યના પણ સમર્પિત અને પ્રાપ્ત એમ બે વિભાગ છે. કોઈએ સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ માટે રકમ અર્પણ કરી હોય તે સમર્પિત વેયાવચ્ચ દ્રવ્ય છે. દીક્ષા પ્રસંગે દીક્ષાર્થીને આપવાના ઉપકરણોના ચઢાવાની રકમ પ્રાપ્ત વેયાવચ્ચ દ્રવ્ય છે. તેમાં સમર્પિત વેયાવચ્ચ દ્રવ્યની રકમ વેયાવચ્ચના કોઈ પણ કાર્યમાં વાપરી શકાય. વેયાવચ્ચ કરતા જૈન ડૉકટર વગેરેને ફી રૂપે તેમ જ જૈન માણસ કે અધ્યાપન કરાવતા જૈન પંડિતના પગાર રૂપે આપી શકાય. પ્રાપ્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy