________________
૩૦૬
શંકા-સમાધાન છે કે અદેવમાં જે દેવબુદ્ધિ, અગુરુમાં જે ગુરુબુદ્ધિ અને અધર્મમાં જે ધર્મબુદ્ધિ તે વિપરીતપણું હોવાથી મિથ્યાત્વ છે. (૨) સંભળાય છે કે નિર્મળ અને દઢ સમ્યગ્દર્શનવાળા શ્રી રાવણ, શ્રીકૃષ્ણ, શ્રી શ્રેણિક, શ્રી અભયકુમાર વગેરેએ શત્રુને જીતવા માટે અને પુત્રપ્રાપ્તિ આદિ આ લોકના કાર્ય માટે વિદ્યાદેવતા વગેરેનું આરાધન કર્યું હતું. તો પછી આ લોકના કાર્યની સિદ્ધિ માટે યક્ષ આદિની આરાધના કરવામાં મિથ્યાત્વ કેવી રીતે લાગે ?
ઉત્તર- તમારો પ્રશ્ન સત્ય છે, તત્ત્વવૃત્તિથી અદેવમાં દેવની બુદ્ધિથી આરાધના કરવી એ જ મિથ્યાત્વ છે, તો પણ આ લોકના કાર્યની સિદ્ધિ માટે યક્ષાદિની આરાધના કરવામાં મિથ્યાત્વનો પ્રસંગ આદિ અનેક દોષોનો સંભવ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. જીવો પ્રાયઃ મંદબુદ્ધિ, મુગ્ધ અને વક્ર બુદ્ધિવાળા હોય છે અને હમણાં તો વિશેષ કરીને તેવા હોય છે. તેઓ આ પ્રમાણે વિચારે કે, આ વિશુદ્ધ સમ્યક્ત્વવાળા યજ્ઞાદિનું આરાધન કરે છે, તેથી નિશ્ચયથી આ દેવ પણ મોક્ષનો દાતા અને આરાધના કરવાને યોગ્ય છે, ઇત્યાદિ પરંપરાએ કરીને મિથ્યાત્વની વૃદ્ધિ અને મિથ્યાત્વને સ્થિર કરવાનો પ્રસંગ આવે, એથી આ લોકના ફળ માટે પણ યક્ષાદિનું આરાધન કરનારા પરભવમાં દુર્લભબોધિ થાય છે. કહ્યું છે કે “જે જીવ અન્ય જીવોને મિથ્યાત્વ પમાડે છે, તે જીવ અન્ય જીવને મિથ્યાત્વ પમાડવાના કારણથી જિનેશ્વર ભગવંતે કહેલ બોધિને પ્રાપ્ત ન કરે.”
શંકા- ૭૧૨. શ્રાવકોને ગોત્રદેવી કુળદેવીની પૂજા કરવામાં મિથ્યાત્વનો દોષ લાગે કે નહિ ?
સમાધાન- જેને “આપણે ગોત્રદેવી કુળદેવીની પૂજા નહિ કરીએ, તો આપણને તે દેવી હેરાન કરશે” એવો ભય ન હોય અને કદાચ કોઈ આપત્તિ આવી જાય તો આપત્તિમાં વૈર્ય રાખી શકે, તે દેવીની પૂજા ન કરે, જેને ભય હોય કે આપત્તિમાં વૈર્ય ન રહે, તે પૂજા કરે તો પણ મિથ્યાત્વ ન લાગે. કેમકે સમકિત ઉચ્ચરતી વખતે તેવો અભિયોગ (છૂટ) રાખવામાં આવે છે તેથી સમકિતનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org