________________
શંકા-સમાધાન
૩૦૫
શંકા- ૭૦૮. કુળદેવીઓની નૈવેદ્યપ્રથા પ્રચલિત છે. તે કેટલી ઉચિત છે ?
સમાધાન- આ પ્રથા યોગ્ય નથી. શ્રાવકોના અતિચારમાં ગોત્ર દેવતા વગેરેને માનવા-પૂજવાથી લાગેલા અતિચાર સંબંધી મિચ્છા મિ દુક્કર્ડ આપવામાં આવે છે.
શંકા- ૭૦૯. દેવતાઓ કઈ ભાષા બોલે ? સમાધાન- દેવો અર્ધમાગધી ભાષા બોલે, કંઈક માગધી ભાષાનું અને કંઈક પ્રાકૃત ભાષાનું લક્ષણ જેમાં હોય તે ભાષા અર્ધમાગધી કહેવાય. શંકા- ૭૧૦. દેવો માંસ-મદ્યાદિ પદાર્થોનું ભક્ષણ કરે ?
સમાધાન– દેવોને આહારની ઇચ્છા થાય કે તરત જ સાર પુદ્ગલો સર્વાગે પરિણત થાય છે. દેવોને કવલાહાર હોતો નથી. જે ચંડિકા, મહાકાલી આદિ હિંસક દેવ-દેવીઓ છે, તે પૂર્વભવના અભ્યાસથી મધ-માંસાદિકની આહુતિને માત્ર દેખવાથી જ સંતુષ્ટ થાય છે, પણ ભોજન કરતા નથી. (લોકપ્રકાશ સર્ગ-૧૨ ગા.૬૫-૬૬-૬૭)
શંકા- ૭૧૧. જેમ રોગને દૂર કરવા માટે વૈદ્ય વગેરેની ભક્તિ સત્કાર વગેરે કરાય છે, તેમ આ લોકના કાર્ય માટે પ્રભાવશાળી યક્ષ-યક્ષિણીની માનતા પૂજા કરવામાં આવે તો કોઈ દોષ લાગે ?
સમાધાન– વર્તમાન કાળમાં આ લોકના કાર્ય માટે પ્રભાવશાળી યક્ષ-યક્ષિણી આદિ દેવોની પૂજા-માનતા કરવાથી વક્ર ને જડ જીવોના મિથ્યાત્વનું કારણ થવાથી મિથ્યાત્વ લાગે અને તેથી પરભવમાં બોધિ દુર્લભ બને. શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં આ વિષે પ્રશ્ન અને ઉત્તર નીચે મુજબ છે.
પ્રશ્ન- જેમ રોગને દૂર કરવા માટે ધન-ભોજન અને વસ્ત્રાદિથી વૈદ્યાદિનું બહુમાન કરવામાં આવે છે, તેમ પ્રભાવશાળી યક્ષયક્ષિણીઓનું પણ આ લોકના ફળ માટે પૂજા-બહુમાન કરવામાં શો દોષ છે ? (૧) મિથ્યાત્વ દોષ તો ત્યારે લાગે કે જો આ દેવ મોક્ષના દાતા છે એવી બુદ્ધિથી આરાધના કરવામાં આવે. યોગશાસ્ત્રમાં કહ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org