________________
શંકા-સમાધાન
કૃતજ્ઞભાવે સ્મરણ કરવા ઉપકાર નિમિત્તે લાપશી, ચોળા વગેરે બનાવી તેમને શેષ ચડાવવી તે. આમાં મિથ્યાત્વ ક્યાં આવ્યું ? દેવી-દેવતાને પરમાત્મબુદ્ધિથી માનીએ તો દોષ લાગે. પણ ઉપકારી દેવ-દેવીનું કૃતજ્ઞભાવે પણ સ્મરણ ન કરાય ? “ગોત્રજ ન કરાય' આવી પ્રરૂપણા કરાતી હોય છે, તે શા માટે ?
સમાધાન તમે લખ્યું છે તે બરાબર છે પણ અજ્ઞાની જીવો આ ન સમજી શકે. એથી પૂજ્ય તરીકે માનવા લાગે. એ દૃષ્ટિએ નિષેધ થતો હોય છે. આથી જ અતિચારમાં ગોત્રદેવતાને પૂજવા-માનવાનો નિષેધ કર્યો છે. કોઇ સમજપૂર્વક ઉપકારબુદ્ધિથી ગોત્રજ કરે તો અતિચાર ન લાગે પણ અજ્ઞાન જીવો તેને જોઇને સમજ વિના પૂજ્યબુદ્ધિથી માનવા લાગે. આથી અનવસ્થા ન થાય એ માટે આનો નિષેધ કરવામાં આવે છે.
૩૦૪
શંકા- ૭૦૭. પ્રભુ માટે ઘી જરૂરથી વધારે આવેલ હોય તો તે ઘીના રૂપિયા દેવદ્રવ્યમાં નાખીને તે ઘીનો ઉપયોગ પોતાના માટે મીઠાઇ વગેરેમાં શ્રાવક કરી શકે ?
સમાધાન– અહીં પહેલી વાત તો એ છે કે ટ્રસ્ટીઓએ જરૂરિયાતથી વધારે ઘી લેવું ન જોઇએ. હવે જો ઘી આપનાર ઘી લેવાનો આગ્રહ કરે, તો એને આ વાત સમજાવી જોઇએ કે વધારે ઘીની જરૂરિયાત ન હોવા છતાં તમારા આગ્રહથી સ્વીકારીએ છીએ પણ તેથી વેચીને તેના પૈસા જિનભક્તિમાં જમા કરીશું. જો તે શ્રાવક સંમતિ આપે તો ઘી વેચીને તેની રકમ જિનભક્તિમાં જમા કરવામાં વાંધો નથી પણ તે ઘી જૈનેતરને આપવું જોઇએ, જૈનને નહિ. ભગવાન માટે આવેલું હોવાથી શ્રાવક તેનો ઉપયોગ કરે તે યોગ્ય જણાતું નથી. વધારે ભાવ આપીને પણ શ્રાવકથી તેનો ઉપયોગ ન કરાય. જો તે શ્રાવક વેચવાની સંમતિ ન આપે તો તે ઘીનો ઉપયોગ પ્રભુભક્તિમાં જ કરવો જોઇએ. તેથી તે ઘી જરૂરિયાતવાળા અન્ય જિનમંદિરોમાં આપી દેવું જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org