SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ पज्जवा-जाव-एवं चरण-करण-परूवणया आपविजंति । सेत्तं विवागसुए। सूत्र આ સંસાર કે છે ? નર, નરક, તિર્યંચ અને દેવગતિમાં જીવનું જે પરિભ્રમણ થયા કરે છે એ જ આ સંસારરૂપ સાગરમાં વિશાળ જળજતુઓનું પરિભ્રમણ છે, સમુદ્રમાં મોટા મેટા પર્વતે પાણીની સપાટી નીચે ડૂબેલા હોય છે. તેમને લીધે તે ઘણે વિકટ મનાય છે. એ જ પ્રમાણે સંસારમાં અરતિ, ભય, વિષાદ, શોક અને મિથ્યાત્વ ભરેલા છે. તેથી તેઓ જ પર્વત જેવાં હોવાથી આ સંસાર પણ વિકટ બને છે. જેવી રીતે સમુદ્ર ગાઢ અંધકારથી છવાયેલો રહે છે, એ જ પ્રમાણે આ સંસાર પણ અજ્ઞાનરૂપ ગાઢ અંધકારથી છવાયેલે છે. કર્દીમને કારણે સમુદ્ર દુસ્તર હોય છે. એજ પ્રમાણે આ સંસાર પણ વિષયની, ધનની અને સ્વજનોની આશા કૃષ્ણરૂપી કર્દમથી દુસ્તર બનેલો છે. જરા મરણ અને ૮૪ લાખ યુનિઓ જ આ સંસાર-સાગરમાં ચંચળ આવર્તે છે. ક્રોધ, માન આદિ સેળ કષા જ આ સંસાર-સાગરમાં અતિશય ભયંકર મગરગ્રહ આદિ સમાન છે. અનાદિ અને અનંત એવા સંસાર સાગરને અલ્પ કરનારા ભવ્ય ઇવેનું વર્ણન આ અંગમાં છે. તેઓ કેવી રીતે વૈમાનિક દેના આયુને બંધ કરે છે. અને કેવી રીતે ઉત્કૃષ્ટ સુરગણ વિમાનોનું સુખ જોગવે છે. અને સુરગણ વિમાનનું સુખ ભેળવ્યા પછી તિયંગ લેકમાં મનુષ્ય ભવમાં જન્મ લઈને જે રીતે આયુષ્ય, શરીર, વર્ણ, શારીરિક સૌદર્ય, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ જન્મ, આરોગ્ય, ઔપત્તિકી આદિ બુદ્ધિ, અપૂર્વ શ્રુત ગ્રહણ કરવાની શક્તિરૂપ મેધા એ બધી બાબતમાં અન્ય લોકો કરતાં વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. તથા તેમના મિત્રો પિતા. કાકા આદિ સ્વજન, ધનધાન્ય રૂપ વૈભવ, અંત:પુરકેશ, કેષ્ટાગાર, બલ-સૈન્ય, વાહન આદિ પ્રકારની સમૃદ્ધિ એ બધુ વિશિષ્ટ પ્રકારનું Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy