________________
શ્રી દેશવિરતિ જીવન ઓછી પાલે, તેથી પહેલાં જણાવ્યા મુજબ શ્રાવક સવા વસા પ્રમાણે દયા પાલી શકે. સમુદ્રમાં ડૂબતાને પાટીયાને આધાર હાય, તેની જેમ શ્રાવકે સંસાર સમુદ્રને તરવાને માટે સવા વસા પ્રમાણે દયા રૂપી પાટીયું જરૂર જાળવી રાખવું, અને સંયમી નિર્દોષ નિર્વિકારી જીવન તરફ લક્ષ્ય રાખવું. આવું વર્તન રાખવાથી પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનકની મર્યાદા જળવાય, અને પરિણામે છ ગુણસ્થાનક તરફ નિર્વિધને પ્રયાણ થઈ શકે. આ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચે અતિચારે પહેલાં જણાવ્યા છે. તે યાદ રાખીને જેમ તેથી અલગ રહેવાય, તેવી કાળજી જરૂર રાખવી. આ પ્રમાણે મેં જે બાબતમાં જય રાખી છે, તે સિવાય ત્રસ જીવની હિંસા દ્રવ્યાદિકથી છ છીંડી કે આગાર અને ૪ બોલ રાખીને અનુકૂલ ભાંગ પ્રમાણે હિંસા કરું નહિ, કરાવું નહિ, અને પૂર્વે જણાવેલા પાંચ અતિચામાં જેની જેની જાણ રાખી છે, તે સિવાય પાંચ અતિચારેને ટાળવા પૂર્વક પહેલાં સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતને ગ્રહું છું (સ્વીકારું છું, લઉં છું, અંગીકાર કરું છું.)
સમ્યકત્વ અને વ્રતને ગ્રહણ કરવાના અવસરે ૨૧ ભાંગા, છ છીંડી, ૪ આગાર, અને ૪ બેલનું સ્વરૂપ જાણવું જોઈએ. તેમાં ૨૧ ભાંગાનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું.” અહીં કરણ એટલે કરવું અથવા કરાવવું એમ સમજવું અને
ગ” આ પદે કરીને જેમ ઘટે તેમ મન, વચન, કાયાને ગ લે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org