________________
શ્રી ધર્મજાગરિકા
[૬૫]
જેલું રહેતું હતું. તેમાંની ચુકી (સૂડી) એ પાછલા ભવમાં પરિત્રાજિકા હતી. અહીંના રાજા શ્રીકાંતને શ્રીદેવી (વિગેરે) નામે રાણી હતી. પાછલા ભવના સ્નેહને લઈને તેને જોતાં આ સૂડીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે રાજાને પહેલાં ની બીના જણાવીને ખુશી કર્યો, અને પોતાના પતિ (સૂડી) ના પ્રાણ બચાવ્યા, અને રાજાએ પોતાના ક્ષેત્રમાં તે જેડાને ચણવાની રજા આપી. અવસરે આ સૂડીએ બે ઇંડાં મૂક્યાં. તેમજ તેની સપત્ની (શોક) બીજી સૂડીએ પણ એક ઈંડું મૂક્યું. પ્રથમની સૂડીએ શેકનું ઇંડું પોતાના માલામાં લાવી મૂકયું. ત્યાં સોલ મુહૂર્ત સુધી રહ્યું. ઇંડું નહિ જેવાથી શેક (સૂડી) તરફડવા લાગી. આ જોઈને દયા આવવાથી પાછું હતું ત્યાં તે ઠંડું મૂક્યું. ઇંડું જોઈને શક (સૂડી) શાંત થઈ. અવસરે તે બે ઇંડાંમાંથી બે બચ્ચા (સૂડેસૂડી) નીકળ્યાં. તેઓ રાજાના ખેતરની ચણ ખાઈને મોટા થવા લાગ્યા. એક વખત પ્રભુ શ્રી ઋષભદેવને વંદન કરવા માટે જ્ઞાની ચારણ મુનિ પધાર્યા. આ વખતે રાજા વગેરે પણ અહીં હાજર હતા. તેઓએ વંદનાદિ વિધિ સાચવીને મુનિરાજને અપૂર્વ આદર સત્કાર કર્યો. અવસરે રાજાએ તે મુનિને અક્ષત પૂજાનું ફલ પૂછ્યું. જવાબમાં મુનિરાજે કહ્યું કે-જે ભવ્ય છે પ્રભુની આગળ અખંડ ઉજ્વલ અક્ષત (ચોખા)ની ત્રણ ઢગલી કરે તે જરૂર અખંડ મોક્ષ સુખ પામે. આ સાંભળીને જેમ નગરજને અક્ષત પૂજા કરવા તૈયાર થયા, તેમ શુકમિથુન (સૂડા અને સૂડીએ) પણ ઉલ્લાસથી પ્રભુની આગળ ત્રણ અક્ષતના પુંજ કર્યા. એમ કરવાને પોતાના બચ્ચાઓને પણ ભલામણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org