SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સમ્યગુદર્શન દેવગત - જે રાગદ્વેષથી યુક્ત અને કામ, ક્રોધ, મેહ આદિ દોષવાળા છે, તેવા લૌકિક દેવને માનવા તે. જે દેવ રાજી થતાં વરદાન દે ને ખીજાતાં શાપ દે તેવા દેવેને સુદેવ તરીકે માનવા તે દેવગત મિથ્યાત્વ. ક્ષણે. રુષ્ટા, ક્ષણે તુષ્ટા” અર્થાત્ ક્ષણવારમાં કોપાયમાન થાય કે ક્ષણવારમાં પ્રસન્ન થાય તેવા દેવોને માનવા તે “દેવગત. મિથ્યાત્વ” છે. ગુરૂગત - જે પંચમહાવ્રતધારી ને શુદ્ધ દયાધર્મના પાળનારા નથી તેવા કંચન કામિનીના ભોગી, સંસારસુખનાં રાગી, રાત્રિભેજનાદિ તથા કંદમૂળ આદિ અભક્ષ્ય ભેજન કરનારાને ગુરૂ તરીકે માનવા તે “ગુરૂગત.” મિથ્યાત્વ છે. ધર્મ કે પર્વગત - ધર્મ નિમિતે હિંસક ય કરે કે, નિર્દોષ પશુના બલીદાન દે, અને લૌકિક પર્વો જેવા કે હોળી, રાંધણ છઠ્ઠ, શિતળા સાતમ, ધનતેરશ ઈત્યાદિમાં માને તે “ધર્મગત ને પર્વગત મિથ્યાત્વ છે. (૭) કેસર મિથ્યાત્વ - તેના પણ ત્રણ ભેદ છે – (૧) લેાકેત્તર દેવગત મિથ્યાત્વ - સર્વ દેથી મુક્ત અને વીતરાગ એવા લોકોત્તર દેવ શ્રી અરિહંત ભગવંતની આ લેક કે પરલકના પદુગલિક સુખની. ઈચ્છાએ કરી બાધા, માનતા માનવી તે, વળી તીર્થકર ભગવંતના લેશમાત્ર ગુણ હોય નહિ, એવાને સુદેવ માને. કે ઘંટાકર્ણ મહાવીરની માનતા માનવી. રા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy