SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ સિમ્યગદર્શનની ચાર ભાવના ૩૧૩ બાકીના સાતે કર્મોની દરેક પ્રકૃતિ જીવને બંધાવનાર આ મેહનીય કર્મ છે. સર્વ કર્મ બંધાવનાર આ મેહનીય કર્મ છે, તેથી સર્વ કર્મથી જીવને છુટકારો પણ આ એક મેહનીય કર્મનાજ નાશ કરવાથી જીવને થઈ જાય છે. તેમ વીરપ્રભુએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯ના ૧૭૧ મા બેલમાં નીચે પ્રમાણે કહ્યું છે – - ગૌતમ સ્વામી પૂછે છે -જિજ-દોસ-મિચ્છા દંસણ વિજએણું ભન્ત ! જીવે કિ જણયઈ?” ભન્ત! અર્થાત હે ભગવંત! રાગ-દ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવને શું ફળ મળે? પ્રભુ કહે છે – રાગ-દ્વેષ અને મિથ્યાદર્શન પર વિજય મેળવવાથી જીવ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર (ચારિત્રામાં તપનો સમાવેશ થઈ જાય છે. આ ચારની આરાધનાને ઉ. સૂત્રના ૨૮મા મોક્ષમાર્ગ અધ્યયનમાં મેક્ષમાર્ગ કહ્યો છે.)ની આરાધના માટે તૈયાર થાય છે. જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મની કર્મગ્રંથીઓ તેડવા માટે સર્વ પ્રથમ મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિએનો અનુક્રમે ક્ષય કરે છે. ત્યારે તેની સાથે જ જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ, અને અંતરાય કમની પાંચ-એમ આ ત્રણે કર્મોની (સર્વ) પ્રકૃતિએને એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે (સાધક) અનુત્તર, અનંત, કૃત્ન (અખંડ)-સર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ તથત કર્મરૂપી વાદળના આવરણ રહિત, અજ્ઞાન રૂપી અંધકાર રહિત, વિશુદ્ધ અને કાલકનું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy