SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ સમ્યગ્દર્શન. સુલાસા દેખાતી નથી. પણ હતાશ થયા વગર અંબ. બીજા દિવસે બીજા દરવાજે બહ્માનું રૂપ ધારણ કરીને ઊભે છે ને ત્રીજા દિવસે ત્રીજા દરવાજે સાક્ષાત્ શંકર ભગવાનનું રૂપ ધારણ કર્યું છે. નગરીના લેકે તે દર્શન માટે ઉમટી પડયા છે, પણ સુલસા જેનું નામ તે કયાંય દેખાતી નથી. આથી અંબડે વિચાર્યું, અન્ય દેવના દર્શને નહિ આવે પણ જિનનું સ્વરૂપ ધારણ કરીશ તે જરૂર આવશે. તેથી ચોથે દિવસે ચોથા દરવાજે જિનેવરનું રૂપ લઈ સેનાના ગઢ ને રત્નજડિત કાંગરા એવા સમેસરણમાં બીરાજી, સિંહાસન પર બેસી દેશને આપી રહ્યો છે, પિતાને પચીસમાં તીર્થકર તરીકે ઓળખાવી રહ્યો છે. સુલસાને પણ તીર્થંકર પ્રગટ થયાનું કહેવરાવ્યું. પણ સુલસા તે ધર્મતત્ત્વની જાણકાર હતી, અને સાચી શ્રધ્ધાળુ હતી. તેણીએ આવનાર વ્યક્તિને સ્પષ્ટ કહ્યું કે કેઈપણ યુગમાં ૨૫માં તીર્થકર થાય જ નહિ. અને વળી એક ક્ષેત્રમાં પણ બે તીર્થકર હોય જ નહિ પ્રભુ મહાવીર અત્યારે ચંપાપૂરી બીરાજી રહ્યા છે, તેથી આ કહેવાતા. તીર્થકર બનાવટી માયાવી છે. ને માયાવીના દર્શનથી પણ પાપ બંધાય માટે તમારા તીર્થકરને કહી દેજે કે તુલસા દર્શને નહિ આવે. વળી આ ખબર સાંભળી સુલસાના હૈયામાં જરાય હર્ષ કે ઉમળકે આવેલ નહિ. સામાન્યપણે પ્રભુ મહાવીરનું માત્ર સ્મરણ થતાં તેનું હૈયું થનગની ઉઠતું, મરાય પુલકિત બની જતાં તેવું અત્યારે ન થયું તેથી પણ નિર્ણય થયું કે આ કઈ તરકટી છે, એટલે સુલસા ને ગઈ તે ન જ ગઈ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy