SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૩૯ વાતાવરણ અત્યંત દુર્ગધમય હોય છે, તેથી દેવને પૃથ્વી પર આવવું ગમતું નથી. કેઈ પાછા પણ વળી જાય છે, આ પ્રમાણે પરદેશી રાજા ઘણા પ્રશ્ન કરે છે, જેના ગુરૂ યુક્તિપૂર્વક સચોટ દાખલા આપી જવાબ આપીને શરીર ને જીવ એક નથી પણ જુદા જુદા છે તેમ સાબીત કરી આપી તેની શ્રધ્ધા કરવા કહે છે, પણ રાજા આડેડાઈ કરી અવળા પ્રશ્નને પૂછે છે, ત્યારે ગુરૂ રાજાના ભલા માટે તેની જ નગરીમાં નીડરપણે કહે છે-રાજા ! તું મુર્ખાઓને સરદાર છે. બધું સમજવા છતાં ન સમજવાને ડોળ કરીને બેટા બેટા તર્ક કરીને તુ તારાજ આત્માનું અહિત કરી રહ્યો છે. માટે હજી સમજ. તારા ભલા માટે કહું છું કે જીવ અને શરીર જુદા છે અને જીવ જેવા શુભાશુભ કર્મ કરે તેવી શુભાશુભ ગતિમાં જઇને સુખ દુઃખ અવશ્ય ભોગવવા જ પડે છે. ગુરૂની આવી આત્મહિતકારી નિર્ભય વાણી રાજા પિતાના -જીવનમાં પહેલી જ વાર સાંભળે છે. આજની ભાષામાં કહીએ તે ગુરૂની આ SHOCK TREATMENTથી ખસી ગયેલા મગજને ઠીક કરવા જે શેક ટ્રીટમેન્ટ અપાય છે તે પદ્ધતિથી રાજાની સાન ઠેકાણે આવી જાય છે, ગુરૂ ભગવંતને હવે વંદન નમસ્કાર કરે છે. શ્રાવકધર્મનું સ્વરૂપ તેમની પાસે સમજીને શ્રાવકધર્મ અંગીકાર કરે છે, કેશીગુરુના સમાગમથી અધમી પરદેશી રાજાના હૃદયનું આમૂલ પરિવર્તન થઈ જાય છે. જે અધમી હતો તેજ શ્રધ્ધાળુ ધમી બનીને શ્રાવકધમનું દઢપણે પાલન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy