SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૩૩ એકસરખે સમભાવી રહે. કારણ કે તે બરાબર જાણે છે કે સુખ દુઃખ જે કાંઈ આવ્યા છે, તે પૂર્વભવમાં મારાજ કરેલા શુભાશુભ કર્મના ફળસ્વરૂપે આવ્યા છે. આ પ્રકારની સાચી સમજણ સમિકિતીને હોવાથી તેઓ “ મિસ્તી મે સવ ભૂસુ વે મજઝ ન કેણઈ” અર્થાત્ સર્વ જીવોથી મારે મૈત્રી છે, કોઈની પણ સાથે વેર નથી, આવી મૈત્રી ભાવના સર્વ જીવો પ્રત્યે ભાવતા રહી સમભાવને ધારણ કરે છે. ” –સમભાવ એ વીતરાગતાનું દેનારૂં છે, અને વીતરાગતા એ છવાતાને પરમાત્મપદે પહોંચાડનારી છે, આ રીતે શમ–ઉપશાંત દશા કે સમભાવને મહર્ષિએ સમકિતનું પ્રથમ લક્ષણ યથાર્થ રીતે કહ્યું છે, દુષ્ટાંત શાસ્ત્રમાં પરદેશી રાજાનું રૂડુ દૃષ્ટાંત છે, પ્રભુ મહાવીર સ્વામી એકદા સમોસરણમાં બીરાજી રહ્યા હતા. તે વેળા એક મહા અદ્ધિવંત ને સૂર્ય સમાન તેજસ્વી દેવ પ્રભુના દર્શને આવ્યા. પ્રભુને વંદણા નમસ્કાર કર્યા, મુખશાતા પૂછી અને પછી પિતાના સ્વસ્થાને ચાલ્યા ગયે. દેવની આવી મેટી રિદ્ધિ સિધ્ધ જોઈ ૫ટ્ટ ગણધર ગૌતમસ્વામીએ પ્રભુને સવિનય પૂછયું - ભગવંત! આ દેવ કેણ હતા? પૂર્વે તેણે એવું શું સુકૃત્ય કરેલ કે જેથી આવી ઋષિ તે પામે છે.? ભવભ્રમણને અંત તે કરશે કે નહિ? ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળી પ્રભુએ કહ્યું કે આ -મહાદ્ધિવંત દેવનું નામ સૂર્યાભદેવ છે. આટલી મોટી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy