SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્ગદર્શન તત્ત્વની કે તત્ત્વાર્થની શ્રદ્ધા કરવી એટલે તે નવે તનું જે સ્વરૂપ સર્વજ્ઞ તીર્થકર ભગવંતેએ પિતાના અપ્રતિપાતી પરિપૂર્ણ કેવળજ્ઞાનમાં પ્રથમ જોયું, જાણ્યું, અને અનુભવ્યું, અને પછી ગણધર ભગવંતેને “જીવ -તત્વ'નું યથાતથ્ય સ્વરૂપ બતાવતી ત્રિપદી – “ઉપને વા, વિગમે ઈ વા યુવેઈવ ” જગત્ છના કલ્યાણ અર્થે નિષ્કારણ કરૂણા લાવી આપી, તેને શાસ્ત્રમાં “અર્થ” કહ્યો છે. સર્વજ્ઞ તીર્થકર ભગવંતના શ્રીમુખેથી આ ત્રિપદી સાંભળતાં જ ગણધર ભગવંતેના અંતરમાં જીવાજીવાદિ નવે તવેના સ્વરૂપજ્ઞાનને પરમ ઉઘાડ થાય છે, અને દરેક ગણધર ભગવંત દ્વાદશાંગી (બાર અંગ સૂત્રો)ની "ધર્મશાસ્ત્રોની રચના કરે છે. જેને જિનવચન કે જિનવાણી કહેવામાં આવે છે. તેની શ્રદ્ધા કરવી તે “સમ્યગુદર્શન છે; એમ સિદ્ધ થયું. એથી એમ ફલિત થાય છે કે તત્ત્વની શ્રદ્ધા કરવી એટલે પરમાર્થથી (૧) તત્ત્વાર્થના પ્રરૂપક એવા સર્વજ્ઞ તીર્થકર ભગવંતની શ્રદ્ધા કરવી–તીર્થકર ભગવંતને જૈન પરિભાષામાં “અરિહંત દેવ” અને ટૂંકમાં માત્ર “સુદેવ” કહેવામાં આવે છે. એટલે “સુદેવ”ની શ્રદ્ધા કરવી. (૨) તત્ત્વની શ્રદ્ધા કરવી એટલે તીર્થકર ભગવંતેના અર્થસભર વચને સાંભળીને અધ્યાત્મ શાસ્ત્રોની રચના કરનાર ગણધર ભગવંતેની અને તીર્થકર ભગવાનના શાસનકાળ દરમ્યાન જિનેશ્વરના માર્ગમાં વિચરતાં અને જિનવાણીને ફરમાવતાં-સાધુ-સાધ્વીજીએની શ્રદ્ધા. જિનેશ્વર ભગવંતના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy