SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ટC સમ્યગદર્શનના ૬૭ બોલ ર૧૭ -ભૂખતરસ વેઠે, સ્ત્રી ન મળવાથી બ્રહ્મચર્ય પાળે, પાણી ન મળવાથી સ્નાનાદિ ન કરે, વસ્ત્ર ને છાપરું ન મળવાથી, ટાઢ-તાપ કે મચ્છર વિગેરેના ડંખ સહન કરે–આમ ઈચ્છા વિના પણ ચેડા કે વધુ સમય કષ્ટ સહન કરે-આને અકામ નિર્જરા કહી છે, તેઓ પૂર્ય ઉપાર્જન કરે છે, અને મૃત્યુને અવસરે જે શુભ પરિણામ રહે તે દશ હજાર વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર જાતિના દેવ થાય છે, (૨) જે કઈ લેઢાની બેડી વગેરેથી બંધાઈને જેલમાં પુરાયા હોય, વૃક્ષ સાથે બંધાયા હોય, શૂળીમાં પાવાગ્યા હોય, ભૂખ્યા તરસ્યા રાખી રીબાવીને માર્યા હોય, અજ્ઞાનપણે પર્વતની શીલા પરથી પડીને પ્રાણ તજયા હાય, • ટુંકમાં ઈચ્છા વગર પરાધીન પણે કષ્ટ સહન કર્યા હોય કે વ્રત લઈ વિરાધના કરી આલોચના કર્યા વિના મૃત્યુ પામ્યા હોય, વૈર વિરોધ ખમાવ્યા વિના મૃત્યુ પામ્યા હેય – ઈત્યાદિ કષ્ટોથી પુણ્ય ઉપાર્જન કરી મૃત્યુ સમયે શુભ પરિણામ આવી જાય તે ૧૨૦૦૦ વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર દેવ થાય. (૩) જે કઈ સ્વભાવથી સરળ, ક્ષમાવંત, નમ્ર, કવિનીત, ને કોધાદિ કષાયથી ઉપશાંત હોય, ઈદ્રિને કાબુમાં રાખનાર, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તનાર, માતાપિ-તાની સેવા કરનાર ને આજ્ઞાને માનનાર હોય, અલ્પ-આરંભી, નિપાપ વૃત્તિથી આજીવિકા રળનાર હોય તે ૧૪૦૦૦ વર્ષના આયુવાળા વાણવ્યંતર દેવ થાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy