SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનના ૭ બેલ ૧૯૭ આ વિષયમાં સંતકવિ તુલસીદાસજીએ ઠીક કહ્યું છે. એક ઘડી આધી ઘડી, આધીમેં પુનિ આધ, તુલસી સંગત સાધુ કી, કટે કટિ અપરાધ.* એક ઘડી, અરે! અધી ઘડી, અરે! અધી ઘડીની પણ આધી ઘડી (એટલે કે આખા દિવસમાં માત્ર છ જ મિનિટ) જે સાધુને સમાગમ થઈ જાય તે પણ જીવના કોડે અપરાધ (પાપ) નાશ પામે છે.” ચદન શીતલં લોકે ચન્દના દપિ ચન્દ્રમાા રાદ્ધચંદન મળે, શીતલા સાધુસંગતઃ “આ બેંકમાં ચંદન–સુખડ શીતળ ગણાય છે, પણ ચંદ્રમાં તેથી પણ વધારે શીતળ છે. તેમ છતાં) ચંદ્રમાં -અને ચંદનની શીતળતાની તુલનાએ કરીને સંતસમાગમ તે બંનેની શીતળતા કરતાં અનેકગણો વધારે શીતળ છે.” પરમાર્થ-ચંદન અને ચાંદની બહુ તે જડ શરીરને બાહ્ય શાંતિ અને શીતળતા આપે છે. ઉપાધિના સમાચાર આવે તે શિતળ ચાંદનીમાંય પરસેવો છૂટી જાય છે ને ચંદનને લેપ નિરર્થક નીવડે છે. પણ સંતસમાગમ આધિ, વ્યાધિ, અને ઉપાધિના ત્રિવિધ તાપને દૂર કરી અંતરની સાચી શાંતિ–આત્મશાંતિ જીવને ઉપજાવે છે. જેથી અશુભ કર્મો આવતાં અટકે છે ને જીવ હળવે થાય છે. સંતસમાગમને, તેમની સેવા ભક્તિને આવો અદ્ભૂત પ્રભાવ હોવાથી મુનિ પર્યું પાસનાને શ્રધ્ધાનું બીજું અંગ ગયું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy