SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનના આઠ અંગ ૧૭૯ ગુરૂ–અમે તે વીતરાગ ભગવાનના અનુયાયી. કોઈપણ - ભૌતિક વસ્તુની કે સુખ સગવડની અમને સ્વપ્નમાંય કામના ન હોય. આ તે તારું વચન નિષ્ફળ ન જાય તેવો તારે આગ્રહ છે તેથી જ ઉપર પ્રમાણે માંગ્યું. તારે તે આપવું હોય તે આપ ને આપવાનું કઠીન લાગતું હોય તે તું છુટો. ગુરૂની આવી પરમ અનાસક્તિ જોઈ બાદશાહ ખૂબ પ્રસન્ન થયા અને ભાવ વિભેર બની ગુરુને કહ્યું – ગુરૂ મહારાજ ! આજથી વચન આપું છું કે માત્ર આઠ નહિ પણ લાગલાગટ બાર દિવસ સુધી મારી સમગ્ર શહેનશાહતમાં જીવહિંસા ન થાય તેવું ફરમાન કાઢું છું. ગુરૂના આઠ તે બાદશાહના ચાર એમ સતત બાર દિવસ મારા મુલકમાં અમારિ પ્રવર્તાશે. તપ અને પ્રવચનના પ્રભાવે માંસાહારી મુસલમાન બાદશાહે પિતાના સમગ્ર રાજ્યમાં આ રીતે દર વર્ષે બાર દિવસ સુધી જીવહિંસા અટકાવી. બાદશાહે માત્ર ચાર જ દિવસ ઉમેર્યા, તેમાં પણ તેને “વિનય ભાવ છે. બાદશાહ ધારત તે વધુ દિવસે ઉમેરી શકત, પણ દેવ ને ગુરૂ કરતાં વધાય જ નહિ. તેથી બાદશાહે ગુરુની મા૫ણી કરતાં પિતાના અર્ધા દિવસે ઉમેર્યા. (૬) વિદ્યા પ્રમાવના – મંત્ર વિદ્યા, અંજન સિદ્ધિ, રસસિદ્ધિ આદિ વિદ્યાએાના ધારણહાર ધર્મની હાની થતી હોય કે સતીઓના શીલની રક્ષા કરવાની હોય તેવા સમયે તે તે વિદ્યાઓને પ્રગ કરી ધમની ઉન્નતિ, ધર્મનું રક્ષણ કરે, ભૌતિક લાભ કે માન-પૂજા અર્થે તેનો ઉપયોગ ન કરે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy