SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ સમ્યગ્ગદર્શન એવી તે પ્રબળ વરસી કે ચંડકૌશિકે ભારે ડંખ દેતાં પ્રભુના અંગુઠામાંથી લેહીને બદલે દુધની ધારા વરસી. આમાં ચમત્કાર સમજવાને નથી. માના હૈયામાં જેવું વાત્સલ્ય પિતાના બાળકને માટે હોય છે અને તેથી બાળક માટે માંની છાતીમાંથી દુધની ધારા વછુટે છે તે જ પ્રમાણે જગતના સર્વ જીવો પ્રત્યે તીર્થકર ભગવંતેના હેયામાં અપાર વાત્સલ્ય ભાવ વહેતું હોય છે. કારણ કે આગલા ત્રીજા ભવે સર્વ જીવને શાસનરસી કરૂં એવી દઢ ભાવના ભાવીને તીર્થકર નામ ગોત્ર બાંધ્યું હોય છે. તેથી જ પ્રભુને વાત્સલ્ય ભાવ અર્જુનમાળી જેવા ખુની પ્રત્યે કે સુદર્શન જેવા દઢધમ, પરમ શ્રદ્ધાવંત શ્રાવક પ્રયે, હિણીયા જેવા અઠગ ચાર પ્રત્યે કે અભયકુમાર જેવા પરમ ભક્ત પ્રત્યે, શ્રેણિક જેવા પરમ વિલાસી રાજા પ્રત્યે કે ઉદાયન જેવા પરમ વૈરાગી મેગામી રાજા પ્રત્યે એક સરખે હોય છે. એટલે તેમના દેહમાં રહેલા લેહીને રંગ દુધ જે વેત હોય છે. તેમ જૈનધર્મ માને છે. વીર પ્રભુના પરમ વાત્સલ્યભાવની ખબર તે આપણને તેમની ગર્ભાવસ્થાથી થાય છે. માતાજીને મારા ફરકવાથી પીડા થતી હશે એમ સમજીને પ્રભુએ ગર્ભમાં ફરકવાનું બંધ કરી દીધું. તેથી ત્રિશલા માતાને તે અવળી અસર થઈ ગર્ભ ફરતે બંધ થયો તેથી માતા તે ગર્ભ વિષે ચિંતા કરતાં રડવા લાગ્યા. હજી તે માંએ મારૂં મુખ પણ જોયું નથી, છતાં મારા પ્રત્યે આટલી બધી મમતા છે, તે મારા જન્મ પછી તે તેમને વાત્સલ્યભાવ કેટલો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy