SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જ્વલનશીલ બની જાય છે, અને જો ગોળામાં ઑક્સિજન હોય તો તે બળી જાય છે. આ બલ્બના વિકાસમાં થોમસ (આલ્વા) એડિસનની એક મુખ્ય શોધ એ હતી કે એમણે ગોળામાંથી બધી હવાને બહાર કાઢવાની વિધિ તો શીખવી, પણ જો ગોળામાં કોઈ ગેસ નહિ હોય, તો ગોળો સારી રીતે કાર્ય કરી શકે નહીં, કારણકે ટંગ્સ્ટન (ધાતુ) ઊંચા તાપમાન બાષ્પીભવન થવાથી એના પરમાણુ ઘનાવસ્થાથી સીધા ઊડીને બાષ્પ અવસ્થામાં બની જાય છે. જો બલ્બમાં કોઈ વાયુ ન હોય તો ટંગ્સ્ટન પ્રત્યેક પરમાણુ, જે ફિલામેન્ટમાંથી નીકળશે, એ કોઈપણ અવરોધ વગર સીધા જ બલ્બની કાચની દીવાલોની અંદરના ભાગમાં હંમેશ માટે જમા થઈ જશે અથવા ચિટકી જશે. ફક્ત કોઈ પ્રકારના વીજળીના ગોળા એવા હોય છે. જેની અંદર શૂન્ય અવકાશ હોય છે. બાકી સામાન્ય બલ્બોમાં થોડી માત્રામાં ઓર્ગન અને નાઇટ્રોજન વાયુ તો હોય જ છે. ઓર્ગન અને નાઇટ્રોજન વાયુ રાસાયણિક દૃષ્ટિએ નિષ્ક્રિય છે. એટલે ટંગ્સ્ટનનો ફિલામેન્ટ ઓર્ગન અને નાઇટ્રોજનમાં જ્વલનક્રિયા નથી કરી શકતો. (કારણ ઑક્સિજનનો અભાવ છે.) બીજી બાજુ, ઓર્ગન અને નાઇટ્રોજનના અણુઓ એટલા ભારે હોય છે કે તેનાથી ટંગ્સ્ટનના પરમાણુઓ (જે ફિલામેન્ટથી નીકળે છે) એની સાથે ટકરાય છે અને ફરી ફિલામેન્ટ તરફ પાછા ધકેલાઈ જાય છે. આ પ્રમાણે આર્ગન અને નાઇટ્રોજન વાયુ ફિલામેન્ટના આયુષ્યને વધારી દે છે. દુર્ભાગ્યથી (નિષ્ક્રિય) વાયુ પણ ઉષ્માને સંવહન (કન્વેકશન) દ્વારા ફિલામેન્ટના આયુષ્યને વધારી દે છે. દુર્ભાગ્યથી (નિષ્ક્રિય) આ વાયુ પણ ઉષ્માનું સંવહન (કન્વેક્શન) દ્વારા ફિલામેન્ટથી ગ્રહણ કરતું રહે છે. એનું પ્રમાણ (proof) એ છે કે બલ્બના ઉપરના ભાગમાં ટંગ્સ્ટનમાંથી નીકળતા પરમાણુઓ કાળા ધાબાના રૂપમાં જામી જાય છે. ઉપર દેખાતા કાળા ધાબા ટંગ્સ્ટનના એ ૫૨માણુઓના ભેગા થવાથી બને છે જે પાછા ફિલામેન્ટમાં આવી શકતા નથી, પણ ગરમ ઓર્ગન અને નાઇટ્રોજન વાયુઓ સાથે ઉપર જાય છે. ખાસ ગોળાઓમાં ‘ક્રિપ્ટોન’ ગેસ ભરવામાં આવે છે. કેટલાક ખાસ ગોળાઓ કે જે ઓર્ગન ગેસની માફક રાસાયણિક દૃષ્ટિએ નિષ્ક્રિય જ છે. પણ ક્રિપ્ટોનના પરમાણુ આર્ગનના પરમાણુ કરતાં વધારે ભારે હોય છે. એટલે એ ટંગ્સ્ટનના પરમાણુઓનું બાષ્પીભવન થયા પછી ફરી એને ફિલામેન્ટની તરફ ધકેલવામાં વધારે શક્તિશાળી હોય છે. ક્રિપ્ટોન ગેસનો એક બીજો લાભ એ પણ છે કે એ ઓર્ગનની સરખામણીમાં ઉષ્માનું મંદતર ઓછું વાહક છે. એટલે એની હાજરીમાં ફિલામેન્ટ Jain Educationa International 60 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy