SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ઇલેક્ટ્રોસિટી પોતે ફક્ત ઊર્જા છે. પણ જ્યારે આકાશની વીજળી કોઈ પર પડે છે, ત્યારે ઉચ્ચ તાપમાન પણ એની સાથે વિકિરિત થાય છે, જે જ્વલનશીલ પદાર્થને ભસ્મસાત્ કરે છે. જ્યારે શરીરની અંદર એ પ્રવેશે છે, ત્યાં એનો પ્રભાવ નર્વસ સિસ્ટમ પર પડવાથી એ વ્યક્તિને મારી નાખે છે અથવા શરીરના તંત્રોને નુકસાન પહોંચાડે છે. ડૉ. જે. જૈનના મતાનુસાર વીજળીનું અગ્નિમાં રૂપાંતરણ થવાના કારણે આકાશની વિદ્યુત સચિત તેઉકાય બની જાય છે. કોઈ કોઈવાર એની ઉચ્ચ ઊર્જા અથવા ઉખાનું પરિણામ આગના ગોળાના રૂપમાં પણ થાય છે. આગના ગોળા ઝડપથી પૃથ્વીની અંદર સમાઈ જાય છે. માર્ગમાં પણ જે કોઈ જ્વલનશીલ પદાર્થ આવે છે, એને બાળી નાખે છે આ વજપાત (અશનિપાત) (thunder bolt)ના રૂપમાં પૃથ્વી પર પડે છે. એના માર્ગમાં આવનાર પદાર્થને બાળીને રાખ કરી નાંખે છે. ડૉ. જે. જૈને પ્રાણવાયુના કારણે આકાશીય વીજળીને સચિત્ત માની છે, એને સ્પષ્ટ કરતાં લખ્યું છે કુવાહકતા અને આયનીકરણ ઃ કુવાહક પદાર્થોમાં વિદ્યુત-પ્રવાહ હોઈ શકતો નથી. એટલે એમાં ગરમી અથવા તાપ પણ પેદા નથી થઈ શકતો. જેમકે લાકડું સાધારણ રીતે ગેસમાં પણ વિદ્યુત-પ્રવાહ નથી હોતો. પણ ઉચ્ચ વિદ્યુતદબાવ (voltage) હજારો વોલ્ટના વિજદબાણ ગેસનું આયનીકરણ થઈ જાય છે અને એનાથી વિદ્યુત-પ્રવાહ આર્કના રૂપમાં શરૂ થઈ જાય છે. આના સિવાય જો એવો ગેસ (વાયુ) જેમ પામણીની બાષ્પ અથવા ધાતુની બાષ્પને એમાં મેળવી દેવાય કે જેનો આયનીકરણ વોલ્ટેજ ઓછો હોય, તે અપેક્ષાકૃત ઓછા વોલ્ટેજ પર જ એ જ ગેસનો બહુ વધારે જાડાઈવાળો જથ્થો આયનીકૃત થઈને પ્લાજમા બની શકે છે. જેમ કે આકાશના વાદળમાં વિદ્યુતચાપ (arc)નું પેદા થવું. એમાં વાદળોમાં ભેગી થયેલી સ્ટેટિક (સ્થિત) વિદ્યુત પ્લાજમાં રૂપમાં ડિસ્ચાર્જ થઈને પ્રવાહિત થઈ જાય છે. એમાં વીજળીનું ગર્જન, ચમકારા અથવા ગરમી પેદા થાય છે. આ પ્રવાહને સચિત્ત માનવામાં આવે છે. આ પ્લાજમામાં પ્રાણવાયુની રાસાયણિક ક્રિયા પણ જોવામાં આવી છે. આમાં ગેસના પરિવર્તનની પ્રક્રિયા જોવાયેલી છે.” ડૉ. જૈને “ વિજુ' (આકાશની વીજળી)ની ભિન્નતા બતાવતા લખ્યું છે - “ઉત્તરાધ્યયન-અધ્યાય ૩૬માં બાદર અગ્નિકાયના પ્રાકૃતિક વીજળી, જે આકાશમાં ચમક્તી વિદ્યુત-ચાપ એટલે ઉષ્મા-પ્લાજમાના રૂપમાં દેખાય છે, એને 52 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy