SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. અગ્નિકાયનું સ્વરૂપ જૈનદર્શનમાં તેઉકાય (અગ્નિ)ના જીવ જૈન દર્શન અનુસાર પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિક - આ છ પ્રકારના જીવ હોય છે. આચારંગ, દસ વૈકાલિક, પ્રજ્ઞાપના આદિમાં આનું વિસ્તારથી વર્ણન જોવા મળે છે. તેઉકાય જીવ એ જીવ છે જેનું શરીર અગ્નિના સ્વરૂપમાં હોય છે. આચારંગ સૂત્રમાં તેઉકાયિક જીવોના અસ્તિત્વને દઢતાપૂર્ણ રીતે સ્વીકાર કરતાં બતાવવામાં આવ્યું છે કે “જે અગ્નિકાયિક જીવલોકના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, એ પોતાના આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે~ સૂક્ષ્મ તેઉકાયના જીવો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. તથા સૂક્ષ્મતાના કારણે અપ્રતિહત (મારી ન શકાય એવા) હોય છે. બાદર તેઉકાયિક જીવોના ભિન્ન ભિન્ન પ્રકારોનું વર્ણન થોડી ભિન્નતા સાથે મળે છે. દસ વૈકાલિક સૂત્રમાં એના આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે. - ૧. અગ્નિ, ૨. અંગારા, ૩. મુર્મુર ૪. અર્ચિ, ૫. જ્વાળા, ૬. અલાત ૭. શુદ્ધાગ્નિ અને ૮. ઉલ્કા.૬ પ્રજ્ઞાપના સૂત્રમાં એના બાર ભેદ મળે છે. ૧. અંગારા ૨. જ્વાળા ૩. મુર્મર ૪. અર્ચિ, ૫. અલાત ૬. શુદ્ધાગ્નિ ૭. ઉલ્કા, ૮. વિદ્યુત, ૯. અશનિ ૧૦. નિર્ધાત ૧૧. સંઘર્ષસમુસ્થિત અને ૧૨. સૂર્યકાંતમણિ-નિસૃત. દસ વૈકાલિક સૂત્રના વ્યાખ્યા ગ્રંથોના આધારે આચાર્ય મહાપ્રજ્ઞએ આના અર્થ આ પ્રકારે કર્યા છે.” ૧. અગ્નિ (અગÄિ) : લોહપિંડમાં પ્રવેશેલા સ્પર્શી શકાય એવા તેજસ્ને અગ્નિ કહે છે. ૬૯ Jain Educationa International ૬૩ ૨. અંગારા (ઇંગાલ) : જ્વાળા વગરના કોલસાને અંગારા કહે છે. લાકડીનો બળતો ધુમાડા વગરનો ભાગ 27 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy