SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રના આધાર પર બતાવ્યું છે કે પુદ્ગલ દ્રવ્યના પ્રત્યેક પરમાણુ જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે એનો સૂક્ષ્મ સૂક્ષ્મ વર્ગમાં સમાવેશ થાય છે, બે-બે પરમાણુઓના પુદ્ગલ સ્કન્ધોથી લઈને સૂક્ષ્મ પરિણામ-યુક્ત અનંત પરમાણુઓના પુદ્ગલ સ્કન્ધોનો સમાવેશ સૂક્ષ્મ નામક બીજા વર્ગમાં થાય છે, સૂક્ષ્મ બાદર શ્રેણીમાં ગંધ (સુગંધ અને દુર્ગંધ)ના પરમાણુ પુદ્ગલ સ્કન્ધોનો સમાવિષ્ટ કર્યો છે. વાયુકાયના જીવોના શરીર બાદર સૂક્ષ્મ છે. પાણીના જીવોના શરીરને બાદર શ્રેણીમાં રાખ્યા છે. પણ અગ્નિકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાય, દ્વીન્દ્રિય, ચતુરીન્દ્રિય વગેરે બીજા બધા ત્રસજીવોના શરીર ને ‘બાદર બાદર’ માન્યા છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ની વૃત્તિમાં શ્રીસિદ્ધસેન ગણિએ વાયુકાયને તેોકાય (અગ્નિ)થી અધિક સૂક્ષ્મ બતાવ્યા છે. કારણ બતાવતાં તેઓ કહે છે કે તેજોકાય પ્રત્યક્ષ હોય શકે છે, વાયુકાય પ્રત્યક્ષ નથી હોતા. બીજી બાજુ આધુનિક વિજ્ઞાન સ્પષ્ટ રૂપમાં બતાવે છે કે પ્રકાશના કણ (પાર્ટિકલ્સ), જેને ફોટોન કહેવાય છે, ઇલેક્ટ્રોનની માફક બહુજ સૂક્ષ્મ છે, એમ તો વાયુ જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન વગેરે એનાથી બહુજ થોડી માત્રામાં સ્થૂલ છે, કારણકે હાઇડ્રોજનના એક અણુમાં એક ઇલેક્ટ્રોન, એક પ્રોટ્રોન અને એક ન્યૂટ્રોન હોય છે. ઑક્સિજનના એક અણુમાં ૧૬ ઇલેક્ટ્રોન, ૧૬ પ્રોટ્રોન અને ૧૬ ન્યૂટ્રોન હોય છે અને વાયુ હંમેશાં બે-બે અણુઓના જોડકામાં ઉપલબ્ધ હોય છે, જેમ વૈજ્ઞાનિક પરિભાષામાં મોલિક્યૂલ કહેવાય છે. આ દૃષ્ટિથી પ્રકાશના કણ (ફોટોન)ને અગ્નિકાય નથી કહેવાતા, પરંતુ પ્રકાશ ઉત્પન્ન કરનારા પદાર્થ, એની જ્યોતિ આદિને અગ્નિકાય માનવી જોઈએ, એટલે વીજળીના બલ્બમાં જ્યારે આપણે વિદ્યુત-પ્રવાહ પ્રસારિત કરીએ, ત્યારે ટંગ્સ્ટન ધાતુનો તાર ગરમ થઈને પ્રકાશિત થાય છે, એ સમયે એ તારોમાં અગ્નિની ઉત્પત્તિ થાય છે, એટલે એ ગરમ તારોને જ સજીવ કહેવાય છે, એ જ પ્રમાણે પ્રજ્વલિત કોલસા, અગ્નિની જ્વાળા, જ્યોતિ, આકાશમાં થતી વીજળી, રાખમાં ઢંકાયેલા અગ્નિ-કણ ઇત્યાદિને અગ્નિકાય કહેવાય છે, પણ એમાંથી પ્રકટ થતા પ્રકાશને અગ્નિકાય નહીં કહી શકાય. ‘આચારાંગ’ના પ્રથમ શ્રુતસ્કંધના પહેલા અધ્યયના ચોથા ઉદ્દેશકની નિર્યુક્તિમાં બાદર અગ્નિના પાંચ પ્રકાર બતાવ્યા છે. (૧) અંગાર, કોલસા આદિ (૨) વિદ્યુત આદિ અગ્નિ (૩) જ્વાળા એટલે અગ્નિ ઉત્પન્ન કરવાવાળા પદાર્થમાં વિચ્છિન્ન જ્વાળા (૪) અગ્નિ ઉત્પન્ન Jain Educationa International 290 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy