SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનની કસોટી પર પાર ઊતર્યા છે. જીવ-વિજ્ઞાનના ક્ષેત્રમાં, જૈન ધર્મ-ગ્રંથો અથવા જૈન દર્શનનું જે અનુપમ યોગદાન છે. એને સ્વીકાર્યા વગર આપણે ચાલશે નહીં. જૈન દાર્શનિક પરંપરા અનુસાર, પ્રાણિયો અને વનસ્પતિ ઉપરાંત પૃથ્વી, પાણી અગ્નિ વાયુમાં પણ જીવ અથવા આત્મા છે એ બધામાં માત્ર તર્કના આધાર પર નહીં, પણ વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર પ્રાયોગિક સ્તર ૫૨ જીવત્વની સિદ્ધિ કરવું અત્યંત આવશ્યક છે. યુગની આ માંગને તત્કાળ પૂરી કરવાની જવાબદારી આપણી બધાની છે. જૈન સમાજમાં, ખાસ કરીને સાધુ સમાજમાં ‘પ્રકાશ’ને માટે છેલ્લી કેટલીક સદીઓથી ભ્રાંતિઓ પ્રચલિત થઈ છે. એ માન્યતાઓને શાસ્ત્રનું પ્રબલ સમર્થન નથી. જૈન ઉપાશ્રયો અને સ્થાનકોમાં દીપક (લેમ્પ)નો ઉપયોગ નથી હોતો, કારણકે જૈન સાધુ-સમાજ માટે અહિંસાનું પાલન અત્યંત આવશ્યક છે અને જૈન દાર્શનિક પરંપરા અનુસાર અગ્નિમાં પણ આત્મા હોય છે. આજે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધુ-સમાજમાં એવો રિવાજ છે કે રાત્રે જો દીપક (લેમ્પ)નો પ્રકાશ હોય તો, એ પ્રકાશમાંથી પસાર થતી વખતે સાધુસાધ્વી પોતાના શરીરને ગરમ વસ્ત્ર (ઊન) અથવા કામળાથી લપેટી લે છે. આ પરંપરા, પ્રથા અથવા આચારનું કારણ પૂછીએ તો બતાવાય છે કે પ્રકાશ તેજોકાય છે અને આપણા શરીર પર પડવાથી એનું મૃત્યુ થઈ જાય છે, એટલે અજવાળું, ભલે તે મીણબત્તીનું હોય અથવા કેરોસીનનું હોય અથવા તેલનું, ઘીનું અથવા વીજળીનું હોય, એનો પ્રકાશ આપણા શરીર પર ન પડે, માટે ગરમ કામળાનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા ઇત્યાદિના પ્રકાશને નિર્જીવ માન્યો છે. બીજી બાજુ આજે વિજ્ઞાને ઘણી શોધ કરી છે, જેના આધાર પર ઘણાં લોકો વીજળીના ગોળા, ફાનસ, મીણબત્તી વગેરેના પ્રકારને નિર્જીવ માને છે, તો પછી વાસ્તવિક સ્થિતિ શું છે, એના ૫૨ જૈન ધર્મ-શાસ્ત્રો અને આગમોના આધા૨ પર વિચા૨ ક૨વો આવશ્યક છે. જૈન ધર્મ-ગ્રન્થો અનુસાર દ્રવ્યના જુદા-જુદા વર્ગીકરણોમાંથી એક વર્ગીકરણ આ પ્રમાણે છે – પુદ્ગલ દ્રવ્યના છ ભેદ છે (૧) સૂક્ષ્મ-સૂક્ષ્મ (૨) સૂક્ષ્મ (૩) સૂક્ષ્મ બાદર (૪) બાદર સૂક્ષ્મ (૫) બાદર (૬) બાદર બાદર. યાકિની મહત્તરાસુન્ આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ, ‘દશવૈકાલિક' સૂત્રની વૃત્તિમાં જીવાભિગમ Jain Educationa International Gre 289 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy