SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કાલગ્રહણ માટે જતા સાધુઓને છીંક સંભળાઈ અથવા એના ઉપર દીવાનો પ્રકાશ આવે અથવા લાઈટ પડે અથવા વીજળીનો પ્રકાશ આવે તો કાલગ્રહણ કરવાને બદલે પાછા ફરી જાય. ચંદ્રમાનો પ્રકાશ અથવા મણિનો ઉદ્યોત શરીરના સંપર્કમાં આવે તો શાસ્ત્રવિહિત કાલગ્રહણની ક્રિયા બંધ કરાતી નથી. પણ વીજળીનો પ્રકાશ અથવા દીવાની રોશની (અજવાળું) આદિ શરીર પર પડે તો કાલગ્રહણની ક્રિયા બંધ જ કરવી પડે છે. એ કાલગ્રહણ રદબાતલ થાય છે. શરીર ઉપર દીવાનો પ્રકાશ, લાઇટ ઇત્યાદિ પડે તો કાલગ્રહણની પવિત્ર ક્રિયા ન કરવાનું કારણ બહુ જ સ્પષ્ટ છે, એનાથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. અગ્નિકાયના જીવોની વિરાધના થવી એક પ્રકારનો દોષ છે. એટલે સાધુ ભગવંત ત્યાં કાલગ્રહણ કર્યા વગર પાછા ફરી જાય છે. આ પ્રમાણે ઓધનિયુક્તિમાં પણ કાલગ્રહણની વિધિ બતાવતાં લખ્યું છે કે “ન પુજન વવંતા છીચે ઝોકું ર તો નિયતિ” (ગા. ૬૪૩) એટલે કાલગ્રહણ માટે જાય ત્યારે જો વચમાં છીંક સંભળાય અથવા અગ્નિપ્રકાશ હોય, શરીર પર લાઇટ પડે તો સાધુ ભગવંત પાછા ફરી જાય છે. એની વ્યાખ્યામાં શ્રીદ્રોણાચાર્યજીએ સ્પષ્ટતાથી લખ્યું છે કે “ઃ પુનઃ પ્રનતાં સુતં તિઃ | = નિ ઉદ્યોતો વા મવતિ તતો નિવર્તિત્તે ” કાલગ્રહણ માટે જતાં સાધુ ભગવંતની ઉપર લાઇટ-પ્રકાશ-રોશની (અજવાળું) પડે તો વિરાધના થવાથી કાલગ્રહણની પવિત્ર ક્રિયા સ્થગિત કરવામાં આવે છે. શ્રી દ્રોણાચાર્યજીએ “ઉદ્યોત' શબ્દથી પ્રસ્તુતમાં રોશની (અજવાળું)નું ગ્રહણ કરીને એની સજીવતાની વાત પર બધાંનું ધ્યાન ખેંચ્યું છે. ઔપપાતિકસુત્રમાં શ્રમણ માટે “વિનુસંતરિયાં' (સુત્ર ૪૧/પાનું ૧૦૪) એવા શબ્દ વિશેષણના રૂપમાં બતાવ્યા છે. એની વ્યાખ્યામાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીજીએ “વિતિ સત્ય અન્તરં મિક્ષાગ્રહની ચેષાસ્તિ તે વિદ્યુતત્તરવાડ | વિવુસમ્પત્તેિ મિક્ષ નારીતિ, ભાવાર્થ એમ કહીને “વીજળી ચમકતી હોય ત્યારે શ્રમણ દિવસના પણ ગોચરી જતા નથી – એમ બતાવ્યું છે એનાથી પણ સિદ્ધ થાય છે કે વીજળીનો પ્રકાશ આપણા શરીર પર પડે તો તેઉકાય જીવની વિરાધના થાય છે. એનો અર્થ એ થયો કે વીજળી, દીવો, લાઇટ બલ્બ ઇત્યાદિના મૂળભૂત ઉત્પત્તિસ્થાનમાં જો પ્રકાશ થાય તો એ સજીવ હોય છે. પણ વીજળી, બલ્બ, દીવા વગેરેમાંથી જે પ્રકાશ દૂર સુધી ફેલાય છે તે પણ સજીવ હોય છે, તાત્પર્ય એ છે કે જેમ આકાશમાં રહેલા વાદળોમાંથી પાણીનો 284 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy