SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ નિશીથસૂત્રચૂર્ણિ આદિમાં ઉપર્યુક્ત ઉલ્લેખો દ્વારા સિદ્ધ થાય છે કે બલ્બ અથવા દીવામાંથી પોતાના શરીર ઉપર જો સીધો પ્રકાશ (=Photon) આવે તો એ પણ વીજળીની માફક, દીવાની જેમ સચિત્ત (=સજીવો જ છે. એની વિરાધના નહિ થાય એને માટે ઉપર્યુક્ત વિશેષ પ્રકારની સાવધાની-જયણા-વિધિ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવી છે. વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે ફોટોન શક્તિ પડીકાના રૂપમાં (Packet of energy) છે. ફોટોન (તેજાણુ) દ્વારા પ્રકાશ બને છે. ફોટોન સ્વયં પ્રકાશના રૂપમાં પરિણત થાય છે. તથા ઇલેક્ટ્રોન (વીજાણુ) અને ફોટન (તેજાણુ)ની વચમાં ગાઢ સંબંધ છે. તેજાણ (Photon)ના સંપર્કમાં આવવાથી વીજાણુ (Eelctron) એકદમ ઝડપથી આવેશિત (Charged) થઈ જાય છે, આવેશિત વીજાણુઓનો ગતિશીલ, પ્રવાહ (Flow of charged electrons) પણ યોગ્ય વાતાવરણ મળતાં જ પ્રકાશઉષ્મા વગેરેના સ્વરૂપમાં તેજાણ (Photon)નું ઉત્સર્જન કરે છે. તથા પ્રકાશથી ચાલનારા સાધનો (Photo-electric instruments) દ્વારા એ પ્રકાશ સ્વરૂપ તેજાણુ (Photon) ફરીથી વીજળી (Electricity)ના રૂપમાં રૂપાંતરિત થઈ શકે છે, ઇલેક્ટ્રોનના પ્રવાહ (Electricity)તો બહુ જ સ્થળ છે. ફોટોન તો એનાથી પણ સૂક્ષ્મ છે. વિજ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ તો મશાલમાંથી નીકળતો | બહાર ફેલાતો પ્રકાશ ફોટનમય છે તથા નિશીથચૂર્ણિ આદિ શાસ્ત્રોની દૃષ્ટિથી એવો પ્રકાશ નિર્વિવાદ રૂપથી સજીવ જ છે. જો લઘુતમ માત્રા સ્વરૂપ પ્રકાશ (=Photon) સજીવ છે તો પછી એની બૃહત માત્રા સ્વરૂપ વીજાણુ ( Electron)થી બનેલી ઇલેક્ટ્રિસિટી સજીવ કેમ ન થઈ શકે? એની નિર્જીવતાનો ફેંસલો આપનાર આપણે કોણ? કારણકે પ્રકાશ-ઉષ્ણતા-દાહ આદિ તો અગ્નિકાયના લક્ષણ છે. તથા સ્પાર્કપ્લગ/ખુલ્લા હાઈટેન્શન વાયર આદિમાંથી પસાર થતી ઇલેક્ટ્રિસિટીમાં પ્રકાશ-ઉષ્ણતા આદિ લક્ષણ સ્પષ્ટ રૂપમાં દેખાય છે. એટલે ઉપર્યુક્ત અનેક દૃષ્ટાંત/તર્કો દ્વારા આગમ અને વિજ્ઞાનનો સમન્વય કરવામાં આવે તો ઈલેક્ટ્રિસિટી પણ બાદર તેઉકાય જીવના સ્વરૂપમાં જ નિશ્ચિત છે. આગમ શાસ્ત્રોને વાંચવા માટે જૈન સાધુ ભગવંતોને કાલગ્રહણની એક મહત્ત્વપૂર્ણ આવશ્યક ક્રિયા કરવી પડે છે. કાલગ્રહણની વિધિનું નિરૂપણ આવશ્યક નિર્યુક્તિ-ચૂર્ણિ, ઓધનિયુક્તિ ઈત્યાદિ ગ્રંથોમાં વિસ્તારથી આવે છે. આવશ્યકનિયુક્તિ ગ્રંથમાં ૧૪ પૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજે લખ્યું છે કે “પુખ છંતા છીયે ઝોડું જ તો નિયતંતિ” (આ.નિ.ગા. ૧૩૭૨) 283 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy