SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજે ‘નોવિચિત્ત રૂપવાતાશ્રનમસઃ પતિ પ્રતીતમેવ । આવિશદ્ધાત્ प्रदीपतेजःप्रभृतीनां परिग्रहः । एतेषां च महावातादि-गतानां रक्षानिमित्तं कल्पां સાયન્ત' (વિ.આ.ભા. મલધારવૃત્તિ) એમ કહીને કામળો રાખવાનું એક પ્રયોજન દીવાની રોશની (અજવાળા)ના જીવ આદિની રક્ષા કરવી બતાવ્યું છે. મહાતાર્કિક ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે પણ સ્યાદ્વાદ કલ્પલતા (શાસ્રવાર્તાસમુચ્ચયવ્યાખ્યા)ના નવમા સ્તંબકમાં ‘શુદ્ધાહારાદિવ શુદ્ધોપકરણાદનેકગુણસંભવસ્તુ નિરપાય એવ !...સચિત્ત-પૃથ્વી-ભૂમિકા-વૃષ્ટિઅવશ્યાયરજ ‘પ્રવીપતેનઃપ્રવૃતીનાં રમા પિ તૈ: (વચ્ચે:) તા મતિ।' (સ્થા. ક. લતા સ્તબક/૯/ગાથા ૪/પાનુ ૪૬) એમ કહીને કામળો પહેરવાનું એક પ્રયોજન દીવાની રોશની (અજવાળા)ના જીવો'ની રક્ષા કરવી બતાવ્યું છે. અધ્યાત્મમતપરીક્ષાવૃત્તિમાં પણ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘સચિતપૃથિવી-ઘૂમિળા-વૃચવશ્યાયન:-પ્રવીપતેનઃપ્રવૃતીનાં વિતે' (= વસ્ત્ર) (ગાથા ૧૩ વૃત્તિ) એમ કહીને દીવા વગરની રોશની (અજવાળા)ના જીવોની રક્ષા કામળા વગર પણ થાય છે એમ બતાવ્યું છે. એટલે ચાલુ કાયોત્સર્ગમાં દીવાની રોશની (અજવાળું) આવવાથી કામળો ઓઢવાથી જેટલી થઈ શકે એટલી તેઉકાય જીવોની રક્ષા થાય એ જ મુખ્ય પ્રયોજન દેખાય છે. એટલે દીવાની રોશની સજીવ જ સિદ્ધ થાય છે.' મહાનિશીથસૂત્રના ચોથા અધ્યયનમાં પાપભીરુ સુમતિ અને નાગિલ નામના બે ભાઈઓની કથા આવે છે. ત્યાં શિથિલાચારી સાધુને જોઈને જ્ઞાની સુમતિ એના શિથિલાચારનું વર્ણન કરતા કહે છે કે - ‘સો અગ્ન રચની! અનોવતો વસુત્તો વિષ્ણુવા સિઓ । ન તેન બળદળ તં' (પાનું ૧૦૧) એટલે એ સાધુ રાતે ઉપયોગ વગર સૂતા હતા. એટલે તેઉકાયના (વિદ્યુતકાયના) સંઘટ્ટા (સ્પર્શ) થયો, પછી પણ તેણે ઓઢવા માટે કામળો લીધો નહીં. અહીં ‘તેઉકાયનો સંઘટ્ટા’ શબ્દનો ‘એ સાધુના શરીર પર કોઈએ બળતા કોલસા રાખ્યા' એવો અર્થ ન કરી શકાય. કારણકે એમ હોય તો એ સાધુ ઊઠી જશે. પરંતુ ‘તેઉકાયના સંઘટ્ટા’નો અર્થ એ છે કે શરીરની ઉપર દીવાનો પ્રકાશ (રોશની) પડ્યો અથવા વીજળીનો ચમકારો શરીર ઉપર પડ્યો. આકાશમાં વીજળી ચમકતી હોય, બારીદરવાજા ખુલ્લા હોય. શરીર પર એનો પ્રકાશ પડતો હોય, પછી પણ સાધુ કામળો ન ઓઢે તો એવી લાપરવાહી શિથિલાચારના રૂપમાં માનવી પડશે. એનું કારણ બહુ જ સ્પષ્ટ છે કે એનાથી તેઉકાય જીવોને પીડા થાય છે. કામળો નહીં ઓઢવાથી Jain Educationa International 280 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy