SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે જ્ઞાની અને પવિત્ર વ્યક્તિ અને યોગીઓના શરીરથી બહાર આ વિદ્યુતતરંગો ત્રણ ફીટ સુધી વિદ્યમાન રહે છે. ડૉ. બ્રાઉને આ વિદ્યુત-શિક્તને બાયોલોજિકલ ઇલેક્ટ્રિસિટી' કહી છે અને લખ્યું છે કે એ મનુષ્યના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે. ભારતીય વેદાન્ત અનુસાર આપણી પ્રાણ-ઊર્જાને પ્રાણયોગની સહાયથી વધારી શકાય છે. આની અંદર આપણા શરીરમાં જે સૂક્ષ્મ અને શક્તિશાળી પ્રાણ-ચેતના નિરંતર અનિયંત્રિત પ્રવાહિત થતી રહે છે, એને મન અને દૃઢ સંકલ્પ-શક્તિ દ્વારા નિયંત્રિત કરી એક વિશેષ બિંદુ અથવા વિષય પર કેન્દ્રિત કરી શકાય છે. અથવા વિશેષ દિશામાં પ્રવાહિત કરી શકાય છે. આ પ્રકારે નિરંતર અભ્યાસ કરવાથી આ ચેતના મૂળાધાર ચક્રમાંથી સહસ્ત્રાર ચક્ર સુધી કોઈ પણ જાતના અવરોધ વગર જોડાઈ જાય છે.” “કેનેડાના પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ડૉ. હંસ સેલ્ય લખે છે, “મનુષ્યની સર્વોચ્ચ શક્તિ પ્રાણનો મોટા ભાગનો હિસ્સો વ્યર્થ વાર્તાલાપ પ્રવૃત્તિઓ આદિમાં નાશ પામે છે. માનસિક તાણ, ચિંતા, અનિદ્રા પણ આ શક્તિને ક્ષણ કર્યા કરે છે.” ભારતીય યોગ-શાસ્ત્રીઓનો મત છે કે “પ્રાણ ઊર્જની આ ક્ષતિ કેટલાક ખાસ સાધનો વાપરવાથી રોકી શકાય છે તથા ક્ષીણ થઈ ગયેલી ઊર્જાની ક્ષતિપૂર્તિ પણ કરી શકાય છે. આ સાધનો છે-સંયમિત આહાર, ચિંતન-મનનની પવિત્રતા અને પરોપકાર, સેવા-ભાવનાનો સમાવેશ. પોતાની શક્તિઓનો અનાવશ્યક વિષયોના ચિંતનમાં, વ્યર્થ વાર્તાલાપ અને ક્રિયાઓમાં વ્યય થતો રોકીને ખાસ વિષય અથવા ધારામાં પ્રવાહિત કરવાથી પ્રાણ-ઊર્જા ફક્ત વધશે જ નહીં પણ અત્યંત પ્રભાવશાળી અને બળવાન પણ થઈ જશે. આને જ પ્રાણસાધના અથવા પ્રાણવિદ્યા કહે છે.” આ સાધનાનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે દઢ સંકલ્પ તથા મનોબળ દ્વારા બ્રહ્માંડમાં વ્યાપ્ત સમષ્ટિગત પ્રાણ તત્ત્વોને આકાશમાંથી આકર્ષિત કરવા અને પોતાની અંદર ધારણ કરવાં. જે વ્યક્તિ પોતાના શરીરમાં વસતા વિશેષ પ્રાણને જેટલા વધારે પ્રમાણમાં પોતાના વશમાં કરી શકે છે એટલી જ અધિક માત્રામાં એસમષ્ટિ પ્રાણને પોતાની અંદર સમાવી શકે છે. આ રીતે સાધક પ્રાણ-જગતની અનેક દિવ્ય શક્તિઓનો ધણી થઈ જાય છે. આ માર્ગ સામાન્ય વ્યક્તિઓ માટે ખુલ્લો છે.” કોઈપણ વ્યક્તિના ચહેરા અથવા શરીરની ચારે બાજુ વિખરાયેલા તેજના 16 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy