SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ બલ્બમાં રહેલી હવાને લીધે બલ્બ પ્રકાશે છે' - આમ હું નથી જણાવતો. “બલ્બને પ્રકાશવામાં વાયુ ઉપયોગી છે – આવું મોર્ડન સાયન્સ માને છે' એમ પણ હું નથી કહેતો. પરંતુ “આગમ મુજબ, અગ્નિકાયને પ્રગટવા વાયુ જરૂરી છે - આમ હું જણાવું છું. તથા ફિલામેન્ટ બળી ન જાય તે માટે મોર્ડન સાયન્સના સિદ્ધાંત મુજબ, બલ્બમાં પ્રવેશ કરાવેલ નાઇટ્રોજન વાયુ અને આર્ગન વાયુ ત્યાં હાજર છે જ. તેથી અગ્નિકાયના લક્ષણો બલ્બ પ્રકાશમાં જણાવાના લીધે તથા બલ્બમાં વાયુ વિદ્યમાન હોવાથી ત્યાં આગમાનુસાર સચિત્ત તેઉકાયને ઉત્પન્ન થવામાં કોઈ પણ પ્રકારનો આગમવિરોધ આવતો નથી. આટલું જ જણાવવાનો અહીં આશય છે. ઉત્તર ૨૪: ભલે મનુષ્ય હો કે માછલી, ભલે ફેફસાંથી શ્વાસ ગ્રહણ કરે અથવા ઝાલર-યુક્ત ફેફસાંથી – બધા જીવોને “ઑક્સિજન” ગ્રહણ કરવો જ પડે છે. આ સત્યના આધાર પર પ્રશ્ન એ છે કે શું ઑક્સિજન વગર પણ અગ્નિનના જીવ બલ્બમાં પેદા થઈ શકે છે. અથવા જીવિત રહી શકે છે? નિષ્ક્રિય વાયુઓ દ્વારા અગ્નિની પ્રક્રિયા વિજ્ઞાન દ્વારા અસ્વીકાર્ય હોવા છતાં પણ એ સંબંધમાં આ આગ્રહ ક્યાં સુધી સંગત થશે કે “એ વાયુ અગ્નિ પ્રગટ કરવામાં સહાયતા કરે છે.' બલ્બની આખી પ્રણાલી એટલી સ્પષ્ટ છે કે શંકાનું કોઈ કારણ નથી. પ્રસ્તુત પ્રશ્નમાં બતાવેલી બાબતો પર અમે વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ. વાયરના માધ્યમથી કોઈ પણ પ્રકારનો વાયુ બલ્બ સુધી પહોંચી શકતો નથી. બીજી વાત છે – બલ્બને નિરિક્વન - ઇંધણ વગરની અગ્નિ માનીને એને ઑક્સિજનની જરૂર નથી, એવું માનવાને કોઈ આધાર નથી. પહેલાં તો બલ્બને ઇંધણ વગરની અગ્નિ માનવી એ જ ખોટું છે. પછી એને માટે ઓક્સિજન સિવાય અન્ય વાયુની અપેક્ષા માનવી તથા એ વાયુની પૂર્તિ તારના માધ્યમથી માનવી - એ બધી વિસંગત વાતો છે. ફરી પાછો આર્ગોન અથવા નાઇટ્રોજનમાં ઑક્સિજનનો થોડા વત્તા માત્રામાં હોવી એ માનીને ઑક્સિજનથી જ એની પૂર્તિ કરાવવી – એની શું આવશ્યકતા છે? વિશુદ્ધ દશામાં નિષ્ક્રિય ગેસોમાં ઑક્સિજનનું શોષણ શત-પ્રતિશત કરવાની અક્ષમતાને માની પણ લઈએ તો છેલ્લે એ ઑક્સિજન ક્યાં સુધી બલ્બના ફિલામેન્ટને બાળશે? ઑક્સિજનની સાથે જ્વલન-ક્રિયા થવા છતાં પણ બ્લબના ફિલામેન્ટ શું અક્ષુણ રહી શકશે? ફરી ઓર્ગોન અથવા નાઈટ્રોજનને જ બલ્બના ફિલામેન્ટને બાળવા સહાયક 214 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy