SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ખુલ્લી હવામાંથી જ નાઇટ્રોજન મિશ્રિત ઑક્સિજન લઈને જીવે છે. તે જ પ્રમાણે મીણબત્તી વગેરે ખુલ્લા વાતાવરણમાંથી ઑક્સિજનના માધ્યમથી સળગતી રહે છે. જ્યારે બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતા પ્રકાશ (બાદર તેઉકાય) માટે એમ કહી શકાય છે કે – (૨) બલ્બ-મર્ક્યુરીલેમ્પ વગેરેના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતા અગ્નિકાયના જીવો ખુલ્લી હવાના બદલે ઇલેક્ટ્રિસિટી જે વાયરમાંથી પસાર થાય છે તે વાયરના માધ્યમથી કે અન્ય કોઈ રીતે ત્યાં આવેલ વાયુ દ્વારા અથવા બલ્બમાં રહેલા વાયુ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. પોતાની સચિત્તતા ટકાવી રાખવા, જીવનનિર્વાહ કરવા માટે બલ્બપ્રકાશ પોતાને પ્રાયોગ્ય વાયુને વિલક્ષણ પદ્ધતિએ મેળવી જ લે છે – આટલું તો સુનિશ્ચિત જ છે. અત્યંત તપેલા લોખંડના નક્કર-નિચ્છિદ્ર ગોળામાં રહેલો અગ્નિ પોતાને યોગ્ય વાયુને કોઈ પણ રીતે મેળવે જ છે ને ! (૩) તેમજ હીટરનો અગ્નિ, ઇલેક્ટ્રિક સગડીનો અગ્નિ વગેરે ખુલ્લા વાતાવરણ અને સ્થૂલ વેક્યૂમ - બંનેમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. આમ અગ્નિકાયના પણ સ્કૂલદષ્ટિએ આવા ત્રણ ભેદ તો સમજી શકાય તેમ છે જ. માટે બલ્બ તૂટી જતાં ફિલામેન્ટ બળી જવાના કારણે, ખુલ્લી હવામાં ઉત્પન્ન ન થઈ શકતા બલ્બ પ્રકાશને નિર્જીવ કહી ન શકાય. અમુક લોકોની માન્યતા એવી છે કે “અગ્નિને સળગવા માટે ઑક્સિજન વાયુ જરૂરી છે, માટે જ સળગતી મીણબત્તી વગેરે ઉપર ગ્લાસ ઊંધો વાળવામાં આવે તો તે બૂઝાઈ જાય છે. જો કે પૂર્વે આપણે ઑક્સિજન વિના પણ આગ લાગી શકે છે તેના અનેક ઉદાહરણો વિચારી ગયા જ છીએ, છતાં પણ ઑક્સિજન વિના આગ ન લાગે” આ વાતને આપણે એક વાર સત્ય માની લઈએ તો પ્રસ્તુતમાં એમ કહી શકાય છે કે મીણબત્તી, અગરબત્તી, તેલનો દીવો, કોલસો વગેરેમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે ઇંધણવાળો છે. તે ઑક્સિજન નામના વાયુ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. માટે તેના ઉપર ગ્લાસ, તપેલી વગેરે ઢાંકવામાં આવે તો તે નવો ઑક્સિજન મળતાં બૂઝાઈ જાય છે. પરંતુ આકાશીય વીજળી, ઇલેક્ટ્રિસિટી, વિદ્યુતપ્રકાશ વગેરે તો પૂર્વે જણાવ્યા મુજબ ઇંધણરહિત - નિરિબ્ધન અગ્નિકાય છે. નિરિક્વન અગ્નિકાયને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઑક્સિજન જ જરૂરી છે – તેવું માનવાની આવશ્યકતા નથી. ઑક્સિજન સિવાયના ઉપયોગી એવા અન્ય વાયુથી પણ તે પોતાનું 212 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy