SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ગેસ વગેરેમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે ઇંધણના આધારે ઉત્પન્ન થાય છે તેમ જ ઇંધણની વધ-ઘટ મુજબ તેની વધ-ઘટ થાય છે. માટે તેને સજીવ માની શકાય. પણ ઈલેક્ટ્રિસિટીને તો કોઈ ઇંધણની જરૂર રહેતી નથી. તો પછી તેને સજીવ કઈ રીતે માની શકાય? ઇંધણ (ખોરાક) વિના તો જીવની ઉત્પત્તિ-સ્થિતિવૃદ્ધિ કઈ રીતે શક્ય બને?” ” પરંતુ આ શંકા વાજબી નથી. કારણ કે તમામ પ્રકારના અગ્નિને ઇંધણ (વ્યક્ત ખોરાક)ની આવશ્યકતા હોય – તેવો કોઈ નિયમ નથી. ચૂલા વગેરેમાં ઉત્પન્ન થતા અગ્નિને ઇંધણની આવશ્યકતા છે. પરંતુ આકાશીય વીજળી, ઇલેક્ટ્રિસિટી, બલ્બપ્રકાશ વગેરે સ્વરૂપ તેઉકાયના જીવો માટે ઇંધણની આવશ્યકતા પ્રતીત થતી નથી. કેમ કે તે શુદ્ધ અગ્નિ છે. શ્રીદશવૈકાલિકચૂર્ણિમાં શ્રીજિનદાસગણી મહત્તરે “ફંઘનદિમ સુદ્ધાળ' (૪/૧૨) આવું કહીને ઇંધણરહિત અગ્નિને શુદ્ધ અગ્નિ તરીકે જણાવેલ છે. શ્રીદશવૈકાલિકસુત્રવ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે પણ નિરિક્વન: = શુદ્ધ નિકા' (અધ્યયન ૪/૧૨ વૃત્તિ) આવું કહીને ઇંધણ વિનાના અગ્નિને શુદ્ધ અગ્નિકાય જીવ તરીકે ઓળખાવેલ છે. શ્વેતાંબરમાન્ય જીવસમાસ ગ્રંથમાં તથા દિગંબરમાન્ય મૂલાચાર ગ્રંથમાં ‘ફંતિ-જ્ઞાન-મૃથ્વી મુમુર-સુદ્ધા કાળી ચ' (જી.સ. ૩૨ + મૂલા. ગા. ૨૨૧) ઇત્યાદિ રૂપે જે અગ્નિકાય જીવના પ્રકાર બતાવેલ છે તેમાં આકાશીય વીજળીને શુદ્ધ અગ્નિ તરીકે ઓળખાવેલ છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે જીવસમાસવ્યાખ્યામાં “શુદ્ધાનિ = વિધુન:' (ગા.૩૨) આ પ્રમાણે વીજળી સ્વરૂપ અગ્નિને શુદ્ધ અગ્નિસ્વરૂપે જ સ્પષ્ટપણે જણાવેલ છે. તેથી અવકાશીય વિદ્યુત, ઇલેક્ટ્રિસિટી, બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતો પ્રકાશ, બલ્બ પ્રકાશની જ્યોતિ (રોશની), દૂર સુધી ફેલાતી દીવાની જ્યોતિ વગેરે ઇંધણશૂન્ય હોવાના કારણે શુદ્ધઅગ્નિરૂપે નક્કી થાય છે. આમ ઇંધણ વિના જ તેની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ દેખાતી હોવાથી આગમ મુજબ તે શુદ્ધઅગ્નિકાય જીવસ્વરૂપે સિદ્ધ થાય છે.” ઉત્તર ૨૩: જેમ જિનદાસમહત્તરે દશવૈકાલિક ચૂર્ણિમાં ઇંધન-રહિત અગ્નિ અથવા શુદ્ધાગ્નિ કહ્યું છે, એ આગમાં પ્રવિષ્ટ લોખંડના ગોળાને બતાવ્યો છે. જીવસમાસ વ્યાખ્યામાં માલધારી હેમચંદ્રસૂરિ દ્વારા “શુનઃ વિઘુનિ' કહેલું છે. એ આકાશીય ચમકતી વીજળી જ છે. આકાશીય ચમકનારી/કડાકા બોલાવતી વિદ્યુત અને ઇલેક્ટ્રિસિટીના રૂપમાં પ્રવાહમાન વિદ્યુત-પ્રવાહની ભિન્નતાના 210 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy