SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં બીજી એક વાત નોંધમાં રાખવી કે ચુંબકીય રેખાઓ (Magnetic lines) પણ પ્રભા, છાયા, આતપ, ઉદ્યોત, પ્રકાશ, તરંગ, શબ્દ વગેરેની જેમ, જૈનમતાનુસાર દ્રવ્યસ્વરૂપ જ છે. ચુંબકીય રેખાઓ કાંઈ ભાવસ્વરૂપ/પર્યાય સ્વરૂપ નથી. કેમ કે ભાવ કાંઈ દ્રવ્યમાંથી છૂટો પડીને બહાર નીકળી શકતો નથી. કાપડનો શ્વેત વર્ણ (પર્યાય) કાંઈ કાપડ (દ્રવ્ય)ને છોડીને બહાર નીકળતો નથી. જ્યારે ચુંબકીય રેખાઓ તો મેગ્નેટની બહાર નીકળે છે. માટે તે પર્યાય (ભાવ) રવરૂપ નથી પણ દ્રવ્યાત્મક જ છે. જૈનાગમ મુજબ, જેમ આપણા શરીરમાંથી દ્રવ્યાત્મક છાયા પરમાણુઓ નીકળે છે કે જેના લીધે પ્રતિબિંબ-ફોટો વગેરે પડી શકે છે, તેમ લોહચુંબકમાંથી દ્રવ્યાત્મક ચુંબકીય રેખાઓ નીકળે છે કે જેના લીધે લોહચુંબક લોખંડને ખેંચી શકે છે. અહીં અન્ય એક વાત ધ્યાનમાં રહે કે ગતિ અને ઘર્ષણ બન્ને જુદી વસ્તુ છે. પરંતુ કોઈ પણ મૂર્ત પદાર્થ ગતિ કરે તો તે ઘર્ષણ અવશ્ય ઉત્પન્ન કરે જ છે. પુદ્ગલની ગતિ ઓછી હોય તો ઘર્ષણ ઓછું હોય તથા ગતિ વધારે હોય તો ઘર્ષણ વધારે હોય. તથા કોઈ પણ પદાર્થને કાપવા માટે ગમે તે પ્રકારની ગતિ કામ ન લાગે પણ ચોક્કસ પ્રકારની ગતિથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ ઘર્ષણ જ ઉપયોગી બને છે. કન્ડટિંગ રૉડ જેમ વધુ ઝડપથી ગતિ કરે તેમ ઘર્ષણ વધુ ઉત્પન્ન થાય અને મેગ્નેટિક લાઈન્સ વધુ ઝડપથી કપાય અને ઇલેક્ટ્રિસિટી વધુ ઉત્પન્ન થાય. કન્ડક્ટીંગ રૉડની ગતિ, ચુંબકીય રેખાઓની કપાવાની સ્પીડ અને મેગ્નેટ પાવર - આ ત્રણના ગુણાંક મુજબ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. મેગ્નેટ જેમ વધુ પાવરફુલ હોય તેમ ચુંબકીય રેખાઓ વધુ હોય છે. જો આ ચુંબકીય બળરેખાઓ કપાય નહિ તો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય નહિ. ચુંબકીય રેખાઓ અને કન્ડક્ટિગ રોડ વચ્ચે જો ઘર્ષણ ન થાય તો ચુંબકીય રેખાઓ કપાય જ નહિ. જેમ કરવત અને લાકડા વચ્ચે યોગ્ય રીતે ઘર્ષણ થાય તો જ લાકડું કરવત દ્વારા કપાય છે તેમ કન્ડક્ટિગ રોડ અને ચુંબકીય રેખાઓ વચ્ચે યોગ્ય ઘર્ષણ ઊભું થાય તો જ ચુંબકીય રેખાઓ કપાય. તે બન્ને વચ્ચે ઘર્ષણ અત્યંત ઝડપથી થાય તો મેગ્નેટિક લાઈન્સ ઝડપથી કપાવાના લીધે ઇલેક્ટ્રિસિટી વધુ ઉત્પન્ન થાય. જો ત્યાં ઘર્ષણ મંદ હોય તો મેગ્નેટિક લાઈન્સ ધીમે ધીમે કપાવાથી ઈલેક્ટ્રિસિટી ઓછી ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રિક જનરેટરમાં પણ આ જ પ્રકારની પ્રક્રિયાથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. The world Book, Encyclpediaમાં આવતી નીચેની વિગતો જોવાથી 112 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy