SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ઑક્સિજન વગર પણ આગ લાગે છે'નું કથન ક્યાં સુધી સંગત હોય શકે? અગ્નિના જે પણ રૂપ બતાવાયાં છે, તે બધાં ઑક્સિજન વગર સંભવ જ નથી. બલ્બના સંદર્ભમાં તો સ્પષ્ટ છે કે ત્યાં ક્લોરિન અથવા ફલોરિનથી બળવાની ક્રિયા થતી જ નથી. એમ તો શાસ્ત્રોક્ત નરકમાં અચિત્ત અગ્નિમાં પણ ઉષ્મા, પ્રકાશ વગેરે છે, પણ ઑક્સિજન નથી. વર્તમાન સંદર્ભમાં મૂળ પ્રશ્ન છે – શું બલ્બમાં, જ્યાં ઉક્ત પદાર્થોની પ્રક્રિયા નથી, તથા ઓક્સિજન પણ નથી, ત્યાં આગ બળી શકે છે? એને સ્પષ્ટ ઉત્તર છે - ના. પ્રશ્ન : બીજી એક મહત્ત્વની વાત એ છે કે શૂન્યાવકાશમાં મોકલેલ સેટેલાઈટોમાં અંદર મશીનના વિભાગોમાં Arking અવાર-નવાર થાય જ છે. નાના નાના તણખાઓ ત્યાં ઉત્પન્ન થયે જ રાખે છે. Arkingનું પ્રમાણ વધી જાય તો વાયર પણ સળગી જતા હોય છે / બળી જતા હોય છે. આ વાત ISRO (Indian Space Research Organization)ના PC.E.D. વિભાગમાં કાર્ય કરનારા સ્પેસ-શટલના પ્રોગ્રામમાં બાહોશ વૈજ્ઞાનિક શ્રી પંકજભાઈ શાહ અને શ્રી કિશોરભાઈ દોમડિયા સાયન્ટિસ્ટએન્જિનિયર .E) દ્વારા જાણવા મળી છે. બહુ સરસ વાત છે. ઑક્સિજનાદિથી રહિત શૂન્યાવકાશમાં પણ સેટેલાઈટની અંદર પણ તણખા સ્વરૂપે અગ્નિકાય જીવો ઉત્પન્ન થઈ જ જાય છે. શૂન્યાવકાશમાં પણ સેટેલાઈટમાં arking ઘટાડવા માટે સાયન્ટિસ્ટોએ પણ ઘણી મથામણ કરવી પડે છે. ખરેખર, ઉત્પન્ન થતો અગ્નિકાય પોતાને પ્રાયોગ્ય વાયુ કોઈ પણ સ્થાનમાં, કોઈ પણ રીતે મેળવી જ લે છે. ઉત્તર ૯ઃ આ વાત તો એ વાતને સિદ્ધ કરી દે છે કે Arkingથી ઉત્પન્ન ચિનગારીઓ (spark) મૂળમાં અગ્નિ જ નથી. ત્યાં વિદ્યુત-પ્રવાહનો ડિસ્ચાર્જ જ ચિનગારીના રૂપમાં વિકિરિત થઈ રહી છે. શૂન્યાવકાશમાં પ્રકાશનું વિકિરણ થઈ શકે છે, એનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. ત્યાં વાયુનો અભાવ છે, એટલે અગ્નિકાય જીવની ઉત્પત્તિ સંભવ જ નથી. અહિં પણ પહેલા અગ્નિને માનીને ત્યાં વાયુની ઉત્પત્તિને જબરજસ્તી મનાવવાની કોશિશ કરવામાં આવી છે. સ્પાર્કના રૂપમાં થનારી ચિનગારીઓ EDM મશીનમાં કેરોસીનમાં પણ આગ લગાડી શકતી નથી, કારણ કે ત્યાં ઑક્સિજનનો અભાવ છે. ISRO ના વૈજ્ઞાનિકોનો સંદર્ભ તો “સ્પાર્ક અગ્નિ નથી, પણ ફક્ત ભૌતિક ઉર્જાનું વિકિરણ માત્ર છે.” આ વાતને જ પુષ્ટ કરે છે. એનાથી સ્પેસમાં – શૂન્યાવકાશમાં “ઑક્સિજનનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો એ કઈ વૈજ્ઞાનિકતા છે? અભયદેવસૂરિના કથનને પણ એની સાથે 166 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy